Coal Gasification : શું હોય છે કોલ ગેસિફિકેશન? જેને હાલમાં જ કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી છે
હાલમાં જ કેન્દ્રિય કેબિનેટે ભારતમાં કોલ ગેસિફિકેશનને પરવાનગી આપી છે. આ પરવાનગી પછી કોલ ગેસિફિકેશનની ખુબ ચર્ચા થઈ રહી છે.
કોલસામાંથી ગેસ બનાવવાની પ્રક્રિયાને કોલ ગેસિફિકેશન કહેવાય છે. કોલસાનું ગેસિફિકેશન એક પ્રક્રિયા છે જેમાં કોલસાને ઓક્સિજન, વરાળ અથવા કાર્બન ડાયોક્સાઇડ દ્વારા ઓક્સિડાઇઝ કરવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો તેમાંથી નીકળતી ઉર્જા કોઈ વસ્તુને બાળીને વપરાય છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી ઇંધણ-ગેસ બનાવી શકાય. આ ગરમ બળતણ ગેસનો ઉપયોગ વરાળ બનાવવા માટે થાય છે. આ ઈંધણમાંથી અનેક પ્રકારના ઈંધણ અને રસાયણો પણ બનાવવામાં આવે છે.
આ 1800 માં શરૂ થયું હતું અને ત્યારથી આ ટેક્નોલોજી ઘણી વિકસિત થઈ છે. વિશ્વભરમાં કોલસાના ગેસિફિકેશનનો ઉપયોગ મિથેનોલ, એમોનિયા, ઇથેનોલ અને વીજળી પેદા કરવા માટે થાય છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારતમાં 1960ના દાયકાથી કોલ ગેસિફિકેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશમાં ઝારખંડના સિન્દ્રીમાં કોલ ગેસિફિકેશન યુનિટ ખોલવામાં આવ્યું હતું. જે બાદમાં બંધ કરી દેવામાં આવ્યુ.
જિંદાલે ઓડિશાના અંગુલમાં પ્લાન્ટ બનાવ્યો હતો પરંતુ તે પણ બંધ હતો. પરંતુ હાલમાં આ દિશામાં ઘણી પ્રગતિ થઈ છે.
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે તમિલનાડુના ત્રિચીમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો. જેમાં 6.2 મેગાવોટ વીજળી ઉત્પન્ન થઈ રહી છે.
હાલમાં ચીન અને જાપાનમાં આનો ઉપયોગ થઈ કહ્યો છે. ચીન ગેસિફિકેશનનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. ચીન તેના ઘણા ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કરે છે.
આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જાપાનમાં વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો આપણે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની વાત કરીએ તો હાલમાં તેનો ત્યાં ભાગ્યે જ ઉપયોગ થાય છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
