ખાધ અને ફુગાવા નિયંત્રણને પ્રાથમિકતા : અરૂણ જેટલી
નવી દિલ્હી, 27 મે : નાણા અને ઉદ્યોગ બાબતોના નાવ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આજે પદભાર સંભાળ્યા બાદ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ફુગાવા પર અને રોકાણકારોના વિશ્વાસને ફરીથી પાછો મેળવી આપવો તથા ખાધ પર નિયંત્રણ કરીને વૃદ્ધિને પ્રોત્સાહન આપવું તે અમારી પ્રાથમિકતા રહેશે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી સરકારમાં નાણા તથા રક્ષા મંત્રી બનાવવામાં આવેલા અરૂણ જેટલીએ જણાવ્યું કે 'કામચલાઉ રીતે હું રક્ષા મંત્રાલયની જવાબદારી પણ સંભાળીશ, પરંતુ આ મંત્રીમંડળનો વિસ્તાર થવા સુધી જ વધારાની જવાબદારી હશે.'
નાણા પ્રધાન તરીકે કઇ બાબતોને પ્રાથમિકતા અપાશે તે અંગે અરૂણ જેટલીએ જણાવ્યું કે 'મને ખબર છે કે હું અત્યંત પડકારજનક સમયમાં કાર્યભાળ સંભાળી રહ્યો છું. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ મજબૂત કરવાની જરૂર છે.'

તેમણે જણાવ્યું કે 'અમારી સરકારને જે જનાદેશ મળ્યો છે તેમાં અમારી આશા જીવંત છે. રાજકીય બદલાવ સ્વયંમાં વૈશ્વિક સમુદાય અને ઘરેલુ રોકાણકારો બંને માટે મજબૂત સંદેશ હોય છે. મને લાગે છે કે આવતા બે મહિનામાં નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનાવીને તેમાં આગળ વધીશું. નવી સરકારની નવી નીતિને થોડા દિવસોમાં જાહેર કરીશુ.'
તેમણે જણાવ્યું કે 'નવી સરકારની સંપૂર્ણ નીતિ માટે આપે થોડા વધુ દિવસ રાહ જોવી પડશે.' શું તેઓ વૃદ્ધિદરની કિંમતે ફુગાવા પર ધ્યાન આપશે ત્યારે જેટલીએ કહ્યું કે અમારે સંતુલન સાધવાનું કામ કરવું પડશે. ભારતે કેટલાક વર્ષો સુધી નવ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. પરંતુ વર્ષ 2008ની વૈશ્વિક આર્થિક મંદીને પગલે તેમાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2012-13માં વૃદ્ધિદર ઘટીને 4.5 ટકા પર આવી ગયો. વર્ષ 2013-14માં તેમાં મામુલી વધારો થઇને તે 4.9 ટકાના દરે છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે દર 5.5 ટકા રહેવીની સંભાવના છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
