હવે કોરપોરેશન બેંકમાં થયું 7 કરોડનું કૌભાંડ, CBI દાખલ કરી FIR
જમશેદપુરની કોર્પોરેશન બેંકમાં પણ લગભગ 7 કરોડના કૌંભાડની વાત બહાર આવી છે. જમશેદપુરની એક કંપની રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડની વિરુદ્ધ સીબીઆઇએ 6.77 કરોડ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.
પંજાબ નેશનલ બેંકે 12 હજાર 600 કરોડના કૌભાંડ પછી એક પછી એક અનેક બેંકોમાં પણ આ રીતના જ કૌભાંડની વાત બહાર આવી રહી છે. હવે જમશેદપુરની કોર્પોરેશન બેંકમાં પણ લગભગ 7 કરોડના કૌંભાડની વાત બહાર આવી છે. જમશેદપુરની એક કંપની રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડની વિરુદ્ધ સીબીઆઇએ 6.77 કરોડ રૂપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેશન બેંકના જોનલ ઓફિસ પટનાના સહાયક પ્રબંધક દ્વારા સીબીઆઇમાં આ છેતરપીંડી મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે સીબીઆઇએ ખોટા દસ્તાવેજ રજૂ કરી તે આધાર પર દેવું લઇને બેંકને નુક્શાન પહોંચાડ્યું છે. આ આરોપમાં કંપની સહિત 6 લોકો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી છે.

સીબીઆઇએ રાંચી સ્થિત આર્થિક અપરાધ શાખાએ આ એફઆઇઆર દાખલ થયા પછી કંપનીના જમશેદપુર સ્થિત ઓફિસ અને તેમના આવાસ પર જઇને દરોડો પાડ્યો હતો. અને આવશ્યક દસ્તાવેજો રજૂ કર્યા હતા. બેંકના સહાયક મેનેજર મુજબ રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડે બેંકના 638 લાખ રૂપિયા જેટલી કુલ લોન લીધી છે. સાથે જ 359 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ પણ ફાળવવામાં આવી છે. જોનલ કાર્યાલયે 11 માર્ચ 2014ને આ ફાળવણી કરી છે. આરોપીએ બેંકને ખોટા દસ્તાવેજોનો આધાર આપી સિક્યોરીટી તરીકે પોતાની સંપત્તિ વધુ બતાવી છે. અને લોન પાસ કરાવી છે. પણ થોડા સમય પછી કંપની લોન ના ભરે ડિફોલ્ટર થઇ ગઇ છે. બેંકે એમ.એસ રામનંદી એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અરોખી ગોપાલ, નિર્દેશક, સંજીતા અખૌરી, નિતેશ અને નિશાંત અખૌરી તેમ જ કોર્પોરેશન બેંકના વૈલુઅર સંજય કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
