For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં તમામ પ્રકારની ફિક્સ ડિપોઝિટના વ્યાજ કરપાત્ર છે. માત્ર ટેક્સ ફ્રી બોન્ડ અને પબ્લિક પ્રોવિડન્ડ પંડના વ્યાજ પર કર લાગતો નથી.

રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે?
હા, રિકરિંગ ડિપોઝિટ કરપાત્ર છે. રિકરિંગ ડિપોઝિટનું વ્યાજ કુલ રકમમાં ઉમેરવામાં આવે છે અને તેના પર ટેક્સની ગણતરી કરવામાં આવે છે.

આ સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે આપે રિકરિંગ ડિપોઝિટ ખોલાવી છે. જેમાં આપ દર મહિને રૂપિયા 20,000 જમા કરાવો છો. જો નાણાકીય વર્ષના અંતમાં આપ તેમાંથી વાર્ષિક રૂપિયા 12,000નું વ્યાજ મેળવો છો તો આ 12,000 રૂપિયા આપની આવકમાં ઉમેરવામાં આવશે અને ત્યાર બાદ તેના પર કરની ગણતરી કરવામાં આવશે.

14-personal-finance-600

તેનો અર્થ એમ થયો કે જો આપની વાર્ષિક આવક રૂપિયા 4 લાખ છે ત્યારે આપની તમામ રિકરિંગ સહિત તમામ એફડીનું વ્યાજ આવકમાં ઉમેરવામાં આવશે. આમ આપની કુલ આવક 4,12,000 થશે. આ કારણે આપની કરપાત્ર આવક 4.12 લાખ થશે. નહીં કે માત્ર રૂપિયા 4 લાખ.

શું રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ?
રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરવું જોઇએ કે નહીં તેનો નિર્ણય કેટલીક બાબતો પર નિર્ભર છે. જેમ કે આપને રૂપિયા 2.4 લાખ સુધીની કાર લેવી છે. તેના માટે આપ રકમ જમા કરવા માંગો છો. તો આપ 12 મહિના સુધી દર મહિને રૂપિયા 20,000 જમા કરી શકો છો. આ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો પડે એમ છે કારણ કે એક વાર રિકરિંગ ચાલુ કરાવ્યા બાદ તેમાં એક મહિનાનું રોકાણ આવતા મહિને કરી શકાશે નહીં.

જો આપ ઉંચા ટેક્સ બ્રેકેટ જેમ કે 20 ટકા કે 30 ટકામાં આવતા હોવ તો રિકરિંગ ડિપોઝિટ આપને મોંઘી પડી શકે છે. આ કારણે રિકરિંગ ડિપોઝિટ આપની જરૂરિયાતને આધારે લાભદાયી છે.

English summary
Did you know, interest on recurring deposits or RDs taxable in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X