આનંદો! PF પર આ વર્ષે પણ મળશે 8.5 ટકા વ્યાજ

છેલ્લા નાણાકિય વર્ષમાં પણ પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર પીએફ પર આપનાર વ્યાજ આ નાણાકિય વર્ષમાં પણ 8.5 ટકા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇપીએફઓ કાર્યાલય પહેલા જ અનુમાન લગાવી ચૂક્યું છે. સાથે જ ચાલુ નાણાંકિય વર્ષમાં પીએફ પર વ્યાવહારિક વ્યાજદરનો પણ અનુમાન લગાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશ્નર કેકે જાલાનના પદભાર ગ્રહણ કરવાની સાથે કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ(CBT)ની બેઠક આવતા મહીને થઇ શકે છે. આની પર મંજૂરી મળ્યા બાદ તેને નાણામંત્રાલયને મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ હાલમાં જ સીબીટીનું પૂનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓની આવનારી બેઠકમાં એફઆઇસીનું ગઠન કરવામાં આવશે. સુત્રોના અનુસાર સીબીટીની બેઠક આવતા મહીને બોલાવવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
