આનંદો! PF પર આ વર્ષે પણ મળશે 8.5 ટકા વ્યાજ

pf
નવી દિલ્હી, 24 જૂન : એ બધા જ ખાનગી અને સરકારી કર્મચારીઓ જેમના પગારમાંથી પીએફ કપાય છે, તેમના માટે એક આનંદના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) હાલના નાણાકિય વર્ષ 2012-14માં પણ પીએફ પર 8.5 ટકાના દરથી વ્યાજ આપી શકે છે. આનો પાંચ કરોડથી વધારે કર્મચારીઓને લાભ મળશે, ઇપીએફઓ વર્ષ 2012-13માં પીએફ પર પણ આટલું જ વ્યાજ આપી રહ્યું છે.

છેલ્લા નાણાકિય વર્ષમાં પણ પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હતું. સૂત્રો અનુસાર પીએફ પર આપનાર વ્યાજ આ નાણાકિય વર્ષમાં પણ 8.5 ટકા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. ઇપીએફઓ કાર્યાલય પહેલા જ અનુમાન લગાવી ચૂક્યું છે. સાથે જ ચાલુ નાણાંકિય વર્ષમાં પીએફ પર વ્યાવહારિક વ્યાજદરનો પણ અનુમાન લગાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશ્નર કેકે જાલાનના પદભાર ગ્રહણ કરવાની સાથે કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ(CBT)ની બેઠક આવતા મહીને થઇ શકે છે. આની પર મંજૂરી મળ્યા બાદ તેને નાણામંત્રાલયને મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઇપીએફઓએ હાલમાં જ સીબીટીનું પૂનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓની આવનારી બેઠકમાં એફઆઇસીનું ગઠન કરવામાં આવશે. સુત્રોના અનુસાર સીબીટીની બેઠક આવતા મહીને બોલાવવામાં આવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X