દેશના આર્થિક હાલાત પર નાણામંત્રીનું નિવેદન, કહ્યું- આપણો વિકાસદર અન્યોથી સારો
દેશના આર્થિક હાલાત પર નાણામંત્રીનું નિવેદન, કહ્યું- આપણો વિકાસદર અન્યોથી સારો
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશના આર્થિક હાલાત પર એક પ્રેસ કોન્ફ્રેન્સ સંબોધિત કરી. તેમણે કહ્યું કે આપણો વિકાસ દર અન્યોથી સારો છે. આ સમયે અમેરિકા અને જર્મનીના વિકાસ દરમાં પણ ગિરાવટ જોવા મળી રહી છે. દુનિયાભરના દેશ મંદીથી લથડિયાં ખાઈ રહ્યા છે. હાલનો ગ્લોબલ જીડીપી દર 3.4 ટકા છે. અમેરિકા-ચીનના વ્યાપાર યુદ્ધની પણ અસર પડી રહી છે.
તેમણે કહ્યું કે અમે શ્રમ સુધાર કર્યા છે. તમે અમારી પર્યાવરણ મંજૂરીની ગતિ જોઈ શકો છે. અમે ટેક્સ જમા કરવાની પ્રક્રિયા સહેલી બનાવી દીધી. સુધારની પ્રક્રિયા નિરંતર ચાલુ છે. હવે તમને કોઈ ઉત્સાહી ઑફિસર પરેશાન નહિ કરી શકે.
વધુમાં નાણામંત્રીએ કહ્યું કે જ્યાં શક થશે ત્યાં જ તપાસ થશે. 48 કલાકમાં તપાસ રિપોર્ટ અપલોડ કરવામાં આવશે. સરકાર લોકોને પરેશાન કરે તે વાત યોગ્ય નથી. કંપની એક્ટ અંતર્ગત 14000 મામલા પરત લેવાયા છે. પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન નાણામંત્રીએ મોટું એલાન કરતા કહ્યું કે કોર્પોરેટ સોશિયલ જવાબદેહી કાનૂનમાં ઢીલ આપવામાં આવશે. સીએસઆરનો ઉલ્લંઘન ગુનો નહિ ગણાય.
નીતિ આયોગના VC બોલ્યા- 70 વર્ષમાં પહેલીવાર ઈકોનોમી તળિયે બેઠી, GST જવાબદાર