સારા સમાચારઃ નાના વેપારીઓને મળશે દર મહિને 3 હજારનું પેન્શન
મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી બેઠક યોજાઈ ગઈ. મોદી સરકારના બીજા કાર્યકાળની આ પહેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
મોદી સરકારના બીજા કાર્યકાળની પહેલી બેઠક યોજાઈ ગઈ. મોદી સરકારના બીજા કાર્યકાળની આ પહેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. જેમાં નાના વેપારીઓે માટે પેન્શન સ્કીમ પણ છે. નાના દુકાનદારો અને વેપારીઓ માટે નવી સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવાના નિર્ણયને મંજૂરી મળી ગઈ છે. જે અતંર્ગત 60 વર્ષની ઉંમર બાદ નાના વેપારીઓને દર મહિને ઓછામાં ઓછા 3 હજારનું પેન્શન મળશે. જે વેપારીઓનું GST ટર્ન ઓવર 1.5 કરોડથી ઓછું છે, તેમને આ યોજનાનો લાભ મળશે. દેશભરના વેપારીઓના સંગઠન અખિલ ભારતીય સંગઠન કૈટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું આ નિર્ણયથી વેપારીઓ વિશે પીએમ મોદી કેટલા ચિંતિત છે, તે જાહેર થાય છે.
આ પણ વાંચો: મોંઘવારી ભથ્થામાં વધારો, લાખો કર્મચારીઓને ફાયદો મળશે

પહેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં ચૂંટણી ઢંઢેરાના આ વાયદાને પૂર્ણ કરવા પણ નિર્મય લેવાયો. મોદી સરકારની બીજી ટર્મમાં આ યોજનાનો લાભ દેશના 3 કરોડતી વધુ રિટેલ વેપારીઓ અને દુકાનદારો તેમજ પોતાનો બિઝનેસ કરતા લોકોને મળશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે આગામી ત્રણ વર્ષ દરમિયાન લગભગ 5 કરોડ દુકાનદારો આ યોજનામાં જોડાય તેવી આશા છે.

વેપારી પેન્શન યોજનાનો લાભ
કેન્દ્રીય કેબિનેટને નાના વેપારીઓ માટે નવી સામાજિક સુરક્ષા યોજના શરૂ કરવાને મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ વેપારીઓને ઓછામાં ઓછું 3 હજાર રૂપિયાનું માસિક પેન્શન મળશે. તમને જણાવી દઈએ કે જેનું જીએસટી ટર્ન ઓવર વાર્ષિક 1.5 કરોડથી ઓછું હશે તેમને આ લાભ મળશે. 60 વર્ષથી ઉંમર પાર કર્યા બાદ વેપારી કે તેના પરિવારને ઓછામાં ઓછા 3 હજારનું માસિક પેન્શન મળશે. જણાવી દઈએ કે વાર્ષિક દોઢ કરોડથી ઓછો બિઝનેસ કરતા તમામ દુકાનદારો, સેલ્ફ એમ્પ્લોય લોકો અને રિટેલ વેપારીઓ જેમની ઉંમર 18થી 40 વર્ષની છે, તે આ યોજનાનો લાભ લઈ શકે છે.

ક્યાં કરવી પડશે અરજી
આ યોજનાોન લાભ ઉઠાવવા માટે 18થી 40 વર્ષના વેપારીઓએ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે વેપારીએ પોતાના તરફથી પણ કોન્ટ્રીબ્યુશન કરવું પડશે, અને સરકાર પોતે પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન વેપારીના ખાતામાં જમા કરશે. વેપારીએ આ માટે દેશભરમાં રહેલા 3.25 લાખ કોમ સર્વિસ કેન્દ્રમાંથી ગમે ત્યાં પોતાને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ યોજના અંતર્ગત 3 વર્ષમાં દેશભરમાં 5 કરોડ નાના વેપારીઓનું રજિસ્ટ્રેશન થશે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા








Click it and Unblock the Notifications
