ગુજરાતને 5 વર્ષમાં બેરોજગાર મુક્ત રાજ્ય બનાવવા સરકારે યોજના ઘડી
ગાંધીનગર, 26 ડિસેમ્બર : ગુજરાત સરકાર નવી પહેલ કરવામાં દેશમાં સૌથી આગળ રહે છે. નવા વર્ષમાં પણ ગુજરાત સરકાર આ સિલસિલો ચાલુ રાખવા માંગે છે. ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષ એટલેકે વર્ષ 2015થી 2020 સુધીમાં ગુજરાતને બેરોજગાર મુક્ત રાજ્ય બનાવવા માંગે છે. આ દિશામાં સરકારે આયોજનની તૈયારીઓ પણ કરી છે.
આ અંગે અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાજ્યની ઉદ્યોગ નીતિની મુદ્દત 31 ડિસેમ્બર,2014ના રોજ પૂરી થઈ રહી છે અને તે અગાઉ સરકારે 2015ની ઉદ્યોગ નીતિ તૈયાર કરી લીધી છે. જેની જાહેરાત પહેલી કે 11મી જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે.

સર્વસામાન્ય ધારણા છે કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાનું રાજ્ય છે અને ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે. પરંતુ આ નવી ઉદ્યોગ નીતિમાં ફેરફાર કરાયો છે. આ નીતિમાં 2015થી 2020 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતને બેરોજગાર મુક્ત બનાવવાની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. પ્રથમવાર ઉદ્યોગ શરુ કરનારા સાહસિકો માટે સ્ટાર્ટ-અપ નીતિ અમલમાં મૂકીને તેમને અલગથી પ્રોત્સાહનો આપવાનું નક્કી કરાયું છે.
ગુજરાત સરકાર માને છે કે મોટા ઉદ્યોગોમાં કરોડો-અબજો રૂપિયાના મૂડીરોકાણ છતાં તેમાં રોજગારી મળવાની ટકાવારી ઓછી હોય છે. જ્યારે લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગોમાં ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી હાંસલ કરી શકાય છે એટલે નવી નીતિમાં સરકારે ગઉ ઉદ્યોગોને પ્રોત્સાહન પર વધુ ભાર આપ્યો છે.
રાજ્ય સરકારના આયોજન મુજબ ગુજરાતમાં હાલ આશરે 9 લાખ જેટલા લોકો બેરોજગાર છે ત્યારે દર વર્ષે લગભગ 1.60 લાખ લોકોને આ ક્ષેત્રમાંથી રોજગારી મળે તો આગામી પાંચ વર્ષમાં 'ગુજરાત બેરોજગાર-મુક્ત રાજ્ય' બની શકે છે અને તે ગણતરી મુજબ નીતિમાં એમએસએમઈ ક્ષેત્રમાં પ્રોત્સાહનોની લ્હાણી કરવામાં આવે તેમ મનાય છે.
હાલની નીતિમાં માઈક્રો ઉદ્યોગોને 7 ટકા વ્યાજ સબસીડી તથા લઘુ અને મધ્ય ઉદ્યોગોને 5 ટકા વ્યાજ સબસીડી અપાય છે પરંતુ નવી નીતિમાં માઈક્રો ઉદ્યોગો માટે વ્યાજ સબસીડી વધારીને 9 ટકા તથા નાના અને મધ્યમ ઉધોગો માટે વ્યાજ સબસીડી 7 ટકા કરવાનો નિર્ણય કર્યો છે, જે પૈકી મહિલા ઉદ્યોગ સાહસિક માટે 1 ટકા વ્યાજ સબસીડી, યુવા ઉદ્યોગ સાહસિકને 1 ટકા ઉપરાંત અનુસૂચિત જાતિ,જનજાતિ, ઓબોસી જેવી અનામત કક્ષાના ઉદ્યોગ સાહસિકોને વધારાની સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત કેસ સબસીડી અને સેલ્સ ટેક્ષ સબસીડીના દરમાં પણ વધારો કરાય તેવી શક્યતા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
