10 સરકારી બેંકોના વિલિનીકરણથી ગુજરાતમાં બંધ થશે 300 બ્રાંચ, 3 હજારથી વધુ નોકરીઓ પર ખતરો
દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે.
દેશમાં દસ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલિનીકરણની ઘોષણા કરાવાના કારણે 3 લાખથી વધુ કર્મચારીઓ પર અસર થવાની સંભાવના છે. એકલા ગુજરાતમાં લગભગ 300 શાખાઓ બંધ થઈ જશે. આ બેંક શાખાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓની નોકરી પર પણ ખતરો છે. બેંક યુનિયનનુ કહેવુ છે કે થોડા મહિના પહેલા સ્ટેટ બેંકમાં 5 બેંકોનુ વિલિનીકરણ થયુ ત્યારે પણ ઘણા લોકોની નોકરીઓ જતી રહી હતી. આ વખતે તો આ સંખ્યા બહુ વધુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોના વિલયનો નિર્ણય લીધો છે. આ બધી 10 બેંકોમાં 30,87,02 કર્મચારી કામ કરી રહ્યા છે. આ વિલય બાદ આ કર્મચારીઓ પર પણ અસર પડવાનુ નક્કી છે.

દેશમાં 10 બેંકોમાં 30,87,02 કર્મચારી, નોકરી ગુમાવવાનો ડર
જો કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે બેંકોના વિલયથી કોઈ કર્મચારીની નોકરીને ખતરો નહિ થાય. પરંતુ એવુ કોઈ ઠોસ આશ્વાસન સરકારે આપ્યુ નથી. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલા સમયમાં પણ ઘણા બેંક કર્મીઓએ નોકરી ગુમાવી દીધી હતી.

એસબીઆઈ સાથે વિલયથી 6,350 નોકરી જઈ ચૂકી છે
મહાગુજરાત બેંક એમ્પ્લોય્ઝ એસોસિએશન (MGBEA) જનક રાવલનું કહેવુ છે કે થોડા મહિના અગાઉ એસબીઆઈ સાથે સહયોગી બેંકોના વિલયના કારણે દેશભરમાં 6,350 નોકરીઓ જઈ ચૂકી હતી. લગભગ છ મહિનામાં બેંક ઑફ બરોડા અને દેના બેંકમાં નોકરીનું નુકશાન શરૂ થઈ જશે. વધુ બેંકોના વિલય દરમિયાન સરકારે ભરોસો આપવો પડશે કે આ વખતે કોઈ કર્મચારીને નોકરીનું નુકશાન નહિ થાય.

સરકાર ધ્યાન ભટકાવવા માટે આ બધુ નથી કરી રહી?
જનકા રાવલે એ પણ કહ્યુ કે ભારત સરકાર બેંકોના વિલય મુદ્દાનો ઉપયોગ એક સ્મોક સ્ક્રીન રૂપે કરી રહી છે જેથી દેશની આર્થિક મંદીથી દેશવાસીઓનું ધ્યાન ભટકે અને સાથે જ બેંકો સામે આવતા ખરાબ ઋણના મુદ્દાઓને દૂર કરી શકાય. માહિતી મુજબ એકલા ગુજરાતમાં જ લગભગ 300 બેંક શાખાઓ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં 3000થી વધુ નોકરીઓ જઈ શકે છે.

ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે દેશ
દેશ ગંભીર આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે. બેંકો, જેમની કમાનમાં વિશાળ સંશાધન છે, તે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે નિર્ણાયક ભૂમિકા નિભાવી શકે છે. ગયા અઠવાડિયે જ નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રની બેંકોને મહત્વપૂર્ણ નોકરીઓ આપવા માટે એક પ્રોત્સાહન આપ્યુ હતુ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
