જાણો કેવી રીતે લાસ્ટ ડેટ નીકાળી પછી ફાઇલ કરશો ઇનકમ ટેક્સ રિટર્ન
આયકર રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. જે તો હવે નીકળી ગઇ છે. અને જો તમે હજી પણ તમારું આયકર રિર્ટન નથી ભર્યું તો ચિંતા ના કરો. કારણ કે હજી પણ તમે તમારું રિટર્ન ભરી શકો છો. ત્યારે કેવી રીતે પોતાનું રિટર્ન ફાઇલ કરશો તે જાણો અહીં.
1) જો તમે ટેક્સ ભરી ચૂક્યા હોવ તો ચિંતાની વાત નથી.તમે 31 માર્ચ 2017 સુધી તમે રિટર્ન ભરી શકો છો. ટેક્સ ભરવાનો મતલબ કે તમારી સૈલરીથી ટેક્સ કપાઇ ચૂક્યો છે. માટે તમે તમારો આઇટી રિટર્ન વિત્તીય વર્ષમાં કોઇ પણ સમયે ભરી શકો છો. પણ હા આયકર વિભાગ આ માટે લેટ ફિસ લેશે. અને કેટલી લેટ ફી લેશે તે તમારા ટેક્સ પર નિર્ધારીત છે.
2) જો તમે ટેક્સ નથી ભર્યો તો તમે 1 ટકાની પેનાલ્ટી સાથે આઇટી રિટર્ન ભરી શકો છો.
3) રિફંડ પર કોઇ વ્યાજ નથી- જો તમે તમારો આઇટી રિટર્ન 31 ઓગસ્ટ પછી ભરવા જઇ રહ્યા છો તો રિફંડ પર કોઇ વ્યાજ નહીં મળે. પણ તમારું રિટર્ન સ્વીકાર્ય જરૂરથી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે તમારા આવકના રૂપમાં 25 હજાર રૂપિયાનું વ્યાજ કપાયું. પણ તારીખ નીકળી ગઇ છે. તો તમને આઇટી રિટર્ન ભરવા પર વ્યાજ નહીં મળે. પણ જો 31 ઓગસ્ટ પહેલા ભર્યું હોત તો જરૂરથી વ્યાજ મળત.
4) જો અસેસમેન્ટ ઇયર પછી આઇટી રિટર્ન ભરો છો તો તમારે 5000 રૂપિયા સુધીની પેન્લટી આપવાનો વારો આવી શકે છે.
5) લાસ્ટ ડેટ નિકળ્યા પછી તમે ભરેલા આઇટી રિટર્નમાં કોઇ પરિવર્તન નહીં થાય.
જો તમારો આધાર નંબર તમે તમારા બેંક એકાઉન્ટમાં નથી આપ્યો તો તમારે આઇટી રિટર્ન એક્નોલેજમેન્ટ ફોર્મ 120 દિવસની અંદર આયકર વિભાગમાં મોકલવો પડશે નહીં તો તમારું રિટર્ન રદ્દ થઇ શકે છે!