HSBC બેંક ટૂંક સમયમાં 10,000 લોકોને છૂટા કરી શકે છે, જાણો કારણ
HSBC હોલ્ડિંગ્સ પીએલસી લગભગ 10 હજાર લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. HSBC ના વચગાળાના સીઇઓ નોએલ ક્વિન સંપૂર્ણ બેંકિંગ ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે.
HSBC હોલ્ડિંગ્સ પીએલસી લગભગ 10 હજાર લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. HSBC ના વચગાળાના સીઇઓ નોએલ ક્વિન સંપૂર્ણ બેંકિંગ ખર્ચમાં ઘટાડો કરવા માંગે છે, તેથી જ લગભગ 10,000 લોકોને છૂટા કરી શકાય છે, એમ ફાઇનાન્સિયલ ટાઇમ્સની એક રિપોર્ટએ જણાવ્યું છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, જ્યારે આ મહિનાના અંતમાં ત્રીજા ક્વાર્ટરનાં પરિણામોનો રિપોર્ટ જાહેર કરવામાં આવે ત્યારે એચએસબીસી જોબમાં ઘટાડાની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોકરીમાં થયેલા આ ઘટાડો મુખ્યત્વે વધુ પગારવાળી ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. રિપોર્ટ અનુસાર, વધારે પગાર ધરાવતા લોકોને પહેલા છૂટા કરી શકાય છે.
10,000 લોકો રોજગાર છીનવાઈ શકે છે
એચએસબીસી ગ્રુપના સીઇઓ જ્હોન ફ્લિન્ટે 5 ઓગસ્ટે પદ છોડ્યું હતું, ત્યારબાદ ક્વિનને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. તે સમયે જૂથના અધ્યક્ષ, માર્ક ટકરે કહ્યું હતું કે, જટિલ અને પડકારજનક વૈશ્વિક વાતાવરણમાં બેંક કાર્ય કરી રહ્યું છે, બોર્ડ ઓફ ડિરેક્ટરનું માનવું છે કે આ પડકારોને પહોંચી વળવા અને તકોનો લાભ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે. ફ્લિન્ટનું જવાનું ચેરમેન માર્ક ટકર સાથેના મતભેદોનું પરિણામ હતું.
આ બાબત સાથે સંબંધિત વ્યક્તિ દ્વારા એક ઇંગલિશ ડેલીને આ માહિતી આપવામાં આવી હતી. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના વેપાર યુદ્ધમાં વધારો થવાને કારણે બિઝનેસમાં ઉદાસીનતાનું વાતાવરણ છે, જેના કારણે છૂટા કરવા અંગેની યોજનાઓ બની રહી છે. જો કે, હજી સુધી એચએસબીસીએ 10,000 લોકોની નોકરી જવાની રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને ભેટ, હોમ લોન સસ્તી કરવામાં આવી