IMFએ ફરીથી ઘટાડ્યુ ભારતના ગ્રોથ રેટનુ અનુમાન, વર્લ્ડ બેંકે પહેલા કરી હતી ભવિષ્યવાણી
વર્લ્ડ બેંક બાદ હવે આઈએએમએફે ભારતનુ જીડીપી ગ્રોથ અનુમાનમાં ભારે ઘટાડો કરી દીધો છે.
નવી દિલ્લીઃ વર્લ્ડ બેંક બાદ હવે આઈએએમએફે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનમાં ભારે ઘટાડો કરી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષની અસર દુનિયાના બધા દેશોની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. સતત વધતી ક્રૂડ ઓઈલની કિંમતોથી મોંઘવારી વધવા સાથે જીડીપી ગ્રોથ પર ગંભીર અસર પડી છે. આના કારણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ચાલુ નાણાકીય વર્ષ માટે એક વાર ફરીથી ભારતના વિકાસ દરના અનુમાનોમાં ફરીથી ઘટાડો કર્યો છે.
આ પહેલા વર્લ્ડ બેંકે ભારતના આર્થિક વિકાસ દરના પૂર્વાનુમાનમાં ઘટાડો કરી દીધો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ સંઘર્ષની કાર્ય નિકાસ પર પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. વળી, મુદ્રાસ્ફીતિમાં વૃદ્ધિની શંકાઓને કારણે દક્ષિણ એશિયાઈ દેશોના વિકાસ પર જોખમ મંડરાઈ રહ્યુ છે.
ચાલુ નાણાકીય વર્ષમાં 8.2% વિકાસ દરનુ અનુમાન
આઈએમએફે પોતાના ગ્લોબલ ગ્રોથ આઉટલુકમાં ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં ભારતના વિકાસ દરમાં અનુમાનમાં ઘટાડો કરીને 8.2 ટકા કરી દીધો છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં 9 ટકા વિકાસ દરનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ. વળી, આગલા નાણાકીય વર્ષ 2023-23માં ભારતની અર્થવ્યવસ્થા પહેલાના અનુમાન 7.1 ટકાના બદલા 6.9 ટકાના દરથી વિકાસ કરવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.