રેલવેને PPP અંતર્ગત રૂપિયા 15000 કરોડની દરખાસ્તો મળી છે : સદાનંદ ગૌડા
નવી દિલ્હી, 16 જુલાઇ : રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે ભારતીય રેલવેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી - PPP) મોડ અંતર્ગત વિવિધ યોજનાઓ માટે અંદાજે રૂપિયા 15,000 કરોડની દરખાસ્તો મળી છે.
રેલવે મંત્રાલયે તાજેતરમાં કરેલા મુસાફરી ભાડામાં 14.2 ટકા અને રેલવે નૂરમાં 6.5 ટકાના વધારાનો બચાવ કરતા રેલવે પ્રધાને જણાવ્યું કે આ વધારો સમયની તાતી માંગ હતી તેના કારણે કરવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી રેલવેના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ભારતીય રેલવે અવાસ્તવિક અને અવ્યવહારુ ધોરણે ચાલી રહી છે.

તેમણે જણાવ્યું કે 'રેલવે બજેટ કંઇક સુધારો કરતું બજેટ છે. હું લોકપ્રિય બજેટથી દૂર રહ્યો છું પરંતુ રેલવેની આવક વધારવાની દિશામાં મેં પગલાં લીધા છે. મેં રેલવેમાં નવી ટેકનોલોજી આવે, સુરક્ષા અને સલામતી વધે તે દિશામાં કામ કર્યું છે.'
રોકાણના સંદર્ભમાં ગૌડાએ જણાવ્યું કે 'અત્યાર સુધીમાં અમે 79 કનેક્ટિવિટી દરખાસ્તો ળી છે. આ ઉપરાંત 22 દરખાસ્તો ખાનગી ફ્રેઇટ ટર્મિનલ્સ, પ્રોડક્શન યુનિટ્સ અને સાઇડિંગ અંગે મળી છે. આમ તાજેતરના સમયમાં કુલ રૂપિયા 15,000 કરોડની દરખાસ્તો મળી છે.'
રેલવે બજેટ 2014-15ની દરખાસ્તને વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ પાસ કરવામાં આવી હતી. વિરોધ પક્ષો દ્વારા રેલવેમાં એફડીઆઇને ઘણું મહત્વ આપવાના વિરોધ સામે મંત્રીએ જણાવ્યું કે રેલવેના મહત્વના કામકાજમાં એફડીઆઇને મંજૂરી આપવામાં આવશે નહીં.
ગૌડાએ જણાવ્યું કે એફડીઆઇ માત્ર હાઇસ્પીડ કોરિડોર, ફ્રેઇટ કોરિડોર અને સબઅર્બન ટ્રેન્સમાં જ લાગુ કરાશે. આ દિશામાં પણ રેલવેને સારી દરખાસ્તો મળી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
