ક્યાંક તમારા પાન કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આવી રીતે કરો ચેક
પાન કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. તમારા નાણાકીય વ્યવહારો સાથે લગતી તમામ માહિતી પાન કાર્ડ સાથે જોડાયેલી હોય છે. જો તેનો ખોટો ઉપયોગ થાય તો તમામ માહિતી કોઈ અન્યના હાથે લાગી શકે છે.
પાન કાર્ડથી અનેક છેતરપિંડી સમયાંતરે પ્રકાશમાં આવી છે ત્યારે આ છેતરપિંડીથી બચવા માટે સમયાંતરે કેટલાક પગલા લેવા જરૂરી છે, જે આજે અમે તમને જણાવીશું.

સાયબર ગુનેગારોએ અભિનેતા અભિષેક બચ્ચન, શિલ્પા શેટ્ટી, માધુરી દીક્ષિત જેવી ઘણી મોટી હસ્તીઓના પાન કાર્ડનો દુરુપયોગ કર્યો અને ક્રેડિટ કાર્ડ જારી કરાવ્યા છે ત્યારે કેટલીક સાવધાની જરૂરી છે.
જણાવી દઈએ કે, પાન કાર્ડ એક યુનિટ 10 અંકનો નંબર છે. પાન કાર્ડ ભારતીય આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન કાર્ડ આવેદન બાદ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.
જો તમે સંભવિત નુકસાનને ઓછું કરવા અને તમારા પૈસા બચાવવા માંગતા હો તો તમારા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને લાગે કે તમારા પાન કાર્ડનો દુરુપયોગ થયો છે તો તમારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
જો તમને લાગે કે તમારા કાર્ડનો દુરુપયોગ થયો છે અને તમે તેને ચકાસવા માંગો છો તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.
પ્રથમ પદ્ધતિ વિશે વાત કરીએ, તો તમારે તમારા નાણાકીય સ્ટેટમેન્ટ નિયમિતપણે તપાસતા રહેવુ પડે છે. તમારા ક્રેડિટ કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ અથવા અન્ય કોઈપણ વ્યવહાર પર નજર રાખો.
બીજી પદ્ધતિ વિશે વાત કરીએ, તો તમારે તમારા સિબિલમાંથી તમારી ક્રેડિટ રિપોર્ટની નકલ અને તમારા પાન કાર્ડમાંથી કોઈપણ ખોટું એકાઉન્ટ તપાસવું આવશ્યક છે. જો તમને લાગે કે આમાં કંઈક ખોટું છે તો તમારે તરત જ ક્રેડિટ બ્યુરોને ફરિયાદ કરવી જોઈએ.
જો તમે તમારું બેંક એકાઉન્ટ તપાસો અને તમારા ખાતામાં ખોટો વ્યવહાર જુઓ તો તમારે તરત જ તમારી બેંક અથવા નાણાકીય સંસ્થાને જાણ કરવી જોઈએ. તે તમને આ સમસ્યાની તપાસ કરવામાં મદદ કરીને વ્યવહારને રોકવામાં પણ મદદ કરશે.
જો તમારા પાન કાર્ડનો દુરુપયોગ થાય છે તો તમે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકો છો અને તમે આવકવેરા વિભાગના ગ્રાહક સેવા હેલ્પલાઇન નંબર પર પણ સંપર્ક કરી શકો છો.












Click it and Unblock the Notifications
