Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Muhurat Trading 2024: દિવાળીના એક દિવસ પહેલા કેમ મુહૂર્ત ટ્રેડિંગ, જાણો કારણ

Muhurat Trading 2024: નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, વર્ષ 2024માં દિવાળીના અવસર પર શુક્રવાર, 1 નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી 31 ઓક્ટોબર, ગુરુવારે ઉજવવામાં આવશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, શા માટે વર્ષ 2024માં દિવાળી પછીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ થશે.

વર્ષ 2024માં દિવાળીના અવસરે 1 નવેમ્બરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે, જે હિન્દુ કેલેન્ડર વર્ષ સંવત 2081 ની શરૂઆત દર્શાવે છે.

ભારતમાં દિવાળી 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે, અને બીજા દિવસે એટલે કે 1 નવેમ્બરે, 2024, સાંજે 6 થી 7 વાગ્યા સુધી, આ ખાસ ટ્રેડિંગ સેશન એટલે કે મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે.

Muhurat Trading 2024

ક્યારે ઉજવાશે દિવાળી - વર્ષ 2024 માં દિવાળીના તહેવારની ઉજવણીની તારીખને લઈને લોકો અને રોકાણકારોમાં ઘણી મૂંઝવણ છે.

દિવાળી દર વર્ષે આસો મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાવસ્યા 31 ઓક્ટોબરે બપોરે 3:12 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 1 નવેમ્બરના રોજ સાંજે 5:53 વાગ્યા સુધી ચાલશે.

દિવાળીના દિવસે સૂર્યાસ્ત પછી દીવા પ્રગટાવવાની પરંપરા છે. 1 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા પહેલા અમાવસ્યા સમાપ્ત થશે. આ કારણે પંચાંગને કારણે દરેક લોકો 31 ઓક્ટોબરે દિવાળી ઉજવવાનો આગ્રહ કરી રહ્યા છે.

1 નવેમ્બરના રોજ માત્ર એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ થશે - દિવાળીના તહેવારને કારણે શેરબજારો સામાન્ય ટ્રેડિંગ માટે બંધ રહેશે, પરંતુ આ એક કલાકનું ખાસ ટ્રેડિંગ સેશન સાંજે યોજાશે.

NSE અનુસાર, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગના અવસર પર 1 નવેમ્બર, 2024ના રોજ એક ખાસ લાઇવ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે.

સામાન્ય ટ્રેડિંગ સેશન સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલશે, જ્યારે ટ્રેડ મોડિફિકેશનનો સમય સાંજે 7:10 વાગ્યા સુધીનો રહેશે.

બીએસઈમાં મુહૂર્ત ટ્રેડિંગ - બીએસઈએ તેની વેબસાઈટ પર પણ આ માહિતી આપી છે કે 1 નવેમ્બરના રોજ વિશેષ મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે.

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, રોકાણકારો તેમની માન્યતાઓ અનુસાર આવા શેરોમાં રોકાણ કરે છે જે તેમને શુભ અને નફાકારક લાગે છે. આ દિવાળી સત્ર માત્ર પરંપરાનો એક ભાગ નથી, પરંતુ તેને નાણાકીય વર્ષની શુભ શરૂઆત તરીકે પણ જોવામાં આવે છે.

આ સમય દરમિયાન કરવામાં આવેલ વેચાણ-ખરીદી સામાન્ય ટ્રેડિંગ દિવસોની જેમ પૂર્ણ થાય છે. ખરીદદારોએ તેમની રકમ ચૂકવવી પડશે. વિક્રેતાઓ નિયમો મુજબ સ્ટોકની પતાવટ કરે છે.

ધનની દેવી લક્ષ્મીની પૂજા અને રોકાણ - દિવાળીનો દિવસ ધનની દેવી લક્ષ્મીની પૂજા તરીકે જોવામાં આવે છે અને આ દિવસ નવા રોકાણ અને ખરીદી માટે શુભ માનવામાં આવે છે.

દિવાળીના દિવસે સોનું-ચાંદી, રિયલ એસ્ટેટ, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ અને કાર ખરીદવી શુભ માનવામાં આવે છે. આ રીતે મુહૂર્ત ટ્રેડિંગ એક ખાસ પરંપરા બની ગઈ છે, જ્યાં રોકાણકારો નાણાકીય વર્ષની શરૂઆત સકારાત્મક શરૂઆત સાથે કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X