શા માટે ચોક્કસ સમયે થાય છે મુહૂર્ત ટ્રેડિંગ, જાણો શું છે માર્કેટનો મિજાજ
દિવાળીના દિવસે શેરબજારનું ઘણું મહત્વ હોય છે. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે શેરબજાર બંધ રહે છે, પરંતુ તેમ છતાં મુહૂર્તના વેપાર માટે એક કલાકનું સત્ર યોજવામાં આવે છે.
નવી દિલ્હી : દિવાળીના દિવસે શેરબજારનું ઘણું મહત્વ હોય છે. સામાન્ય દિવસોની સરખામણીએ દિવાળીના દિવસે શેરબજાર બંધ રહે છે, પરંતુ તેમ છતાં મુહૂર્તના વેપાર માટે એક કલાકનું સત્ર યોજવામાં આવે છે. નોંધનીય છે કે, પ્રી-ઓપનિંગમાં માર્કેટની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે.
હાલમાં સેન્સેક્સ 0.77 ટકાના વધારા સાથે 457.26 પોઈન્ટ વધીને 60,229.18 ના સ્તરે જોવા મળી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 120.85 પોઈન્ટ અથવા 0.68 ટકાની મજબૂતાઈ સાથે 17950 ની આસપાસ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે મુહૂર્તનો વેપારનો સમય
આ દરમિયાન માર્કેટમાં માત્ર 1 કલાક માટે ટ્રેડિંગ થાય છે. 4 નવેમ્બર 2021નારોજ દિવાળીના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સાંજે 6:15 થી 7:15 વાગ્યા સુધી મુહૂર્ત ટ્રેડિંગ શરૂ થયું હતું. આ એક પ્રતીકાત્મક ધાર્મિક વિધિ છે, જે ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને રોકાણકારો આ દિવસે કેટલીક ટોકન ખરીદી કરે છે.
- પ્રી ઓપન: 6 : 00 PM - 6 : 15 PM
- સામાન્ય બજાર: સાંજે 6 : 15 - 7 : 15
- ક્લોસિંગ સેશન - 7 : 25 pm - 7 : 35 pm
- F&O, કરન્સી (CDS), MCX : 6 : 15 pm - 7 : 15 pm
ચોક્કસ સમયે થાય છે મુહૂર્ત વેપાર
મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. મોટાભાગના રોકાણકારો આ એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેર ખરીદે છે. મુહૂર્ત વેપારની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. દર વર્ષે મુહૂર્તના વેપાર માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. રોકાણકારો આ શુભ અવસર પર મૂલ્ય આધારિત શેર્સ ખરીદે છે.