મુકેશ અંબાણીએ માન્યુ દેશમાં છે આર્થિક મંદી, આપ્યુ આ મોટુ નિવેદન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ માન્યુ છે કે દેશની અર્થવ્યવસ્થા સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ માન્યુ છે કે દેશની અર્થવ્યવસ્થા સુસ્તીના દોરમાંથી પસાર થઈ રહી છે. અબજપતિ ભારતીય ઉદ્યોગપતિએ કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તી અસ્થાયી છે અને મોદી સરકાર દ્વારા છેલ્લા અમુક સમયમાં ઉઠાવાયેલા પગલાથી આવનારા ત્રિમાસિક ગાળામાં આના વલણને પલટવામાં મદદ મળશે.

ભારતમાં આર્થિક સુસ્તી પરંતુ તે અસ્થાયીઃ અંબાણી
સઉદી અરબમાં યોજાનાર વાર્ષિક રોકાણ સંમેલનમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે ‘પીએમ મોદીની સરકાર દ્વારા ઓગસ્ટ બાદથી કરાયેલ સુધારાનુ પરિણામ આવનારા અમુક ત્રિમાસિક ગાળામાં જોવા મળશે. અંબાણીએ કહ્યુ, હા, ભારતીય અર્થવ્યવસ્થામાં હળવી સુસ્તી રહી છે પરંતુ મારો વિચાર છે કે આ અસ્થાઈ છે.' રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને કહ્યુ કે છેલ્લા અમુક મહિનાઓ દરમિયાન જે પણ સુધારાના ઉપાય કરવામાં આવ્યા છે તેનુ પરિણામ સામે આવશે.

સરકાર દ્વારા ઉઠાવાયેલ પગલાની આગામી ત્રિમાસિકમાં દેખાશે અસરઃ અંબાણી
અંબાણીએ કહ્યુ કે તેમને આશા છે કે આગામી અમુક ત્રિમાસિકમાં આ સ્થિતિ બદલાશે. મુકેશ અંબાણીએ કહ્યુ કે ભારત અને સઉદી બંને દેશો પાસે આર્થિક વૃદ્ધિને આગળ વધારવા માટે પ્રોદ્યોગિકી, યુવા વસ્તી અને નેતૃત્વ બધુ જ છે. ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથ રેટમાં છેલ્લા પાંચ ત્રઇમાસિક ગાળામાં ઘટાડો દેખાઈ રહ્યો છે અને એપ્રિલ-જૂન 2019ના ત્રિમાસિકમાં તે ઘટીને 5 પર આવી ગયુ. એક વર્ષ પહેલા, જીડીપી 8 ટકાની ઉંચાઈ પર હતુ. વર્ષ 2013 બાદ તે સૌથી ઓછો વૃદ્ધિ દર છે.

વિપક્ષ આર્થિક નીતિઓની કરી રહ્યો છે ટીકા
આના માટે રોકાણમાં આવેલી સુસ્તી અને ખપત તેમજ ઉપભોગમાં આવેલા ઘટાડાને કારણ બતાવવામાં આવી રહ્યુ છે. બીજી તરફ સરકારે સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અમુક ઉપાય કર્યા છે. એનબીએફસીમાં રોકડની સ્થિતિને સરળ બનાવવાના ઉપાય કરવામાં આવ્યા છે. સાર્વજનિક ક્ષેત્રોમાં બેંકોમાં નવી મૂડી નાખવામાં આવી છે અને કંપનીઓ માટે ટેક્સ રેટમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વળી, અર્થવ્યવસ્થામાં સુસ્તી માટે વિપક્ષ સતત દી સરકારની આર્થિક નીતિ પર સવાલ ઉઠાવી રહ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
