Jet Airways બંધ, પગાર માટે ભટકી રહ્યા છે કર્મચારીઓ
જેટ એરવેઝનું પરિચાલન અસ્થાયી ધોરણે બંધ થયા પછી, વિમાન કંપની જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી.
જેટ એરવેઝનું પરિચાલન અસ્થાયી ધોરણે બંધ થયા પછી, વિમાન કંપની જેટ એરવેઝના કર્મચારીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લેતી નથી. જેટનું પરિચાલન બંધ થયા પછી કર્મચારીઓને તેમનો પગાર મળી રહ્યો નથી. એરલાઇનના પ્રમોટર અને તેના ધિરાણકર્તાઓ બંને પોતાના હાથ પાછાં ખેંચી રહ્યા છે. કંપનીના કર્મચારીઓએ એક મહિનાના પગાર માટે દર દર ભટકવું પડી રહ્યું છે.

જેટ એરવેઝના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું હતું કે અમે વારંવાર કંપનીના ધિરાણકર્તાઓને કહ્યું છે કે કર્મચારીઓને વેતન મળ્યું નથી અને તેમની પર આર્થિક કટોકટી વધી રહી છે, પરંતુ તેમની પાસેથી કોઈ મદદ મળી નથી. પગારના અભાવના કારણે કર્મચારીઓની મુશ્કેલી વધી રહી છે. કંપનીના સીઇઓ અનુસાર, જો કર્મચારીઓમાં આ સ્થિતિ બની રહી તો તેમની પાસે બીજી કંપનીમાં નોકરી શોધ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચશે નહિ.
જ્યાં કર્મચારીઓ પગાર ન મળવાથી મુશકેલીમાં છે, તો ત્યાં બેંકોએ સ્પષ્ટ કર્યું છે કે બોલી પ્રક્રિયાને સમાપ્ત કર્યા વિના પગાર પર કોઈ પ્રતિબદ્ધતા નક્કી થઇ શકતી નથી. આવામાં, જેટ એરવેઝના કર્મચારીઓનું ભવિષ્ય જોખમમાં છે. કંપનીએ બેંકોની સામે કર્મચારીઓના વેતનનો મુદ્દો મુક્યો હતો, પરંતુ બેંકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ કંપનીના શેરધારકોએ મેળવવો જોઈએ. નોંધપાત્ર રીતે, જેટ એરવેઝના કર્મચારીઓએ સરકારને જેટલી જલદી શક્ય હોય એટલું જલ્દી એરલાઇન માટે બોલી પ્રક્રિયા પૂર્ણ કરાવાની વિનંતી કરી છે.
આ પણ વાંચો: જેટ એરવેઝ કર્મચારીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આત્મહત્યા કરી
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
