For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટ એરવેઝ કર્મચારીએ એપાર્ટમેન્ટ પરથી કૂદીને આત્મહત્યા કરી

અસ્થાયી રૂપે બંધ પડેલી જેટ એરવેઝના એક સિનિયર ટેક્નિશિયન શૈલેષ સિંહએ મુંબઈના પાલઘરમાં આવેલા નાલાસોપારામાં એક ચાર માળની બિલ્ડિંગના ધાબાથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

અસ્થાયી રૂપે બંધ પડેલી જેટ એરવેઝના એક સિનિયર ટેક્નિશિયન શૈલેષ સિંહએ મુંબઈના પાલઘરમાં આવેલા નાલાસોપારામાં એક ચાર માળની બિલ્ડિંગના ધાબાથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 43 વર્ષના શૈલેષ કેન્સર પીડિત હતા અને આર્થિક તંગીને કારણે ખુબ જ તણાવમાં પણ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને પોતાના એપાર્ટમેન્ટના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી લીધી.

Jet Airways

આ ઘટનાની માહિતી પ્રાપ્ત કર્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ મોકલ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે પોલીસ ઘરના લોકોની પૂછપરછ કરી રહી છે. ઘટના પછી પોલીસે કહ્યું કે શૈલેષ સિંહ કેન્સરથી પીડિતા હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં તે ખૂબ જ અસ્વસ્થ હતા. પોલીસે કહ્યું કે ઘરના લોકોની માહિતી અનુસાર, તેમને આ અઠવાડિયે કેમો થેરપી પણ કરાવી હતી.

જો કે, પોલીસએ કહ્યું છે કે જેટ એરવેઝ કટોકટીને લીધે તેમને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો તેના વિશે શૈલેશના પરિવાર ઘ્વારા કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે કહ્યું કે શૈલેશના ઘરમાં તેની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ છે. તેનો પુત્ર જેટ એરવેઝના ઓપરેશન વિભાગમાં કાર્યરત છે. પોલીસે આ સંદર્ભમાં કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

આ દરમિયાન, જેટ એરવેઝ કર્મચારીઓના સંઘે આ બનાવ બાદ એક નિવેદન બહાર પાડ્યું હતું કે, શૈલેશ જેટ એરવેઝમાં કામ કરી રહ્યો હતો. લાંબા સમયથી પગાર ન મેળવવાને લીધે, તેઓને નાણાકીય અવરોધોનો સામનો કરવો પડ્યો. એટલા માટે તેણે પોતાના એપાર્ટમેન્ટમાંથી કૂદીને આત્મહત્યા કરી. જોકે, હાલમાં પોલીસ આખા કેસની તપાસમાં વ્યસ્ત છે.

English summary
Jet Airways employee take extreme step in Maharashtra's Palghar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X