પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું
પેટ્રોલની કિંમત 2018ના સૌથી નીચલા સ્તરે, ડીઝલ પણ થયું સસ્તું
અમદાવાદઃ પેટ્રોલનો ભાવ વર્ષ 2018ના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે રાહત મળી છે. ગુરુવારે સવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 0.05 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 67.27 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.61 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. અનુમાન છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો આગામી દિવસોમાં પણ યથાવત રહેશે.

પેટ્રોલની કિંમત 2018ના નીચલા સ્તરે
આજે સવારે કોલકાતા, ચેન્નઈ, મુંબઈમાં પેટ્રોલની કિંમત ક્રમશઃ 71.84 રૂપયા, 75.36 રૂપિયા અને 72.36 રૂપિયા અને ડીઝલની કિંમત કોલકાતા, મુંબઈ તથા ચૈન્નઈમાં ક્રમશઃ 65.51 રૂપિયા, 66.72 રૂપિયા અને 67.31 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે.

ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો
જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર પાછલા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, માટે પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું છે, જણાવી દઈએ કે હાલમાં જ સરકારે પેટ્રોલની વધી રહેલી કિંમતને પહોંચી વળવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં કામ મૂક્યો હતો.

એક્સાઈઝ ડ્યૂટી
ઉલ્લેખનીય છે કે લોકસભામાં એક સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી શવ પ્રતાપ શુક્લએ કહ્યું હતું કે જો પેટ્રોલમાંથી ટેક્સ અને ડીલર્સનું કમિશન હટાવી લેવામાં આવે તો દિલ્હી-એનસીઆરમાં એક લીટર પેટ્રોલ માટે સામાન્ય માણસે માત્ર 34 રૂપિયા જ આપવાના રહેશે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન પેટ્રોલ પર 73,516.8 કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી એકઠી કરી. જ્યારે ડીઝલ પર 1.5 લાખ કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી એકઠી કરી છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
