હવે ઘરમાં રાખેલા સોના પર પણ સરકારની નજર, આ યોજનામાં થશે ફેરફાર
સરકાર હવે ગોલ્ડ મોનિટાઈઝેશન યોજનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
અત્યાર સુધી ઘરમાં પડેલા સોના પર ના તો કઈ રિટર્ન મળે છે અને ના આનાથી અર્થવ્યવસ્થામાં કોઈ સુધારો થાય છે. સરકાર તરફથી પહેલેથી જ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ હેઠળ ઘરમાં પડેલા સોના પર રિટર્ન આપવામાં આવે છે પરંતુ લોકો આમાં વધુ રસ દાખવતા નથી.

જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાંથી સૂચનો માંગ્યા
આ જ કારણ છે કે સરકાર હવે આ યોજનામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે આ યોજનામાં ફેરફાર માટે જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાંથી સૂચનો માંગ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એક પુરસ્કાર સમારંભને સંબોધિત કરીને કહ્યુ, ‘મને લાગે છે કે લોકોના ઘરોમાં સોનુ નિષ્ક્રિય પડ્યુ છે, ના તો તેનુ કોઈ રિટર્ન મળે છે અને ના અર્થવ્યવસ્થાને લાભ થાય છે.'

સોનાને બેંકોમાં જમા કરાવવુ
તેમણે કહ્યુ કે આવી યોજના બનાવવામાં મદદ કરો જેનાથી આ યોજના પ્રત્યે લોકોમાં આકર્ષણ વધે. જેથી લોકો ઘરોમાં પડેલુ સોનુ બેંકોમાં જમા કરાવે. પીયુષ ગોયલે કહ્યુ કે આપણો હેતુ લોકોના ઘરોમાં પડેલુ સોનુ બેંકોમાં જમા કરાવીને તેના પર આવક મેળવવાનો હોવો જોઈએ. ગોયલ અનુસાર આનાથી વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા બોઝને ઘટાડી શકાય છે.

2015માં થઈ હતી ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત
તમને જણાવી દઈએ કે સરકારે વર્ષ 2015માં મોનિટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજનાને ઓછા રિટર્ન અને સુરક્ષા ચિંતાના કારણે સારી પ્રતિક્રિયા ન મળી શકી. આના પર 2.25થી 2.50 ટકા સુધી વ્યાજ મળે છે. યોજના હેઠળ બેંક એક નિશ્ચિત સમય માટે ગ્રાહકોને સોનુ જમા કરાવવાની અનુમતિ આપે છે. આ યોજનાનો હેતુ લોકોને લાભ અપાવવાનો છે. ભારતની વાર્ષિક સોનાની માંગ 800-1000 ટન છે અને આનો મોટાભાગનો ભાગ આયાત કરવામાં આવે છે. એવુ અનુમાન છે કે ઘરોમાં લગભગ 20,000 ટન સોનુ બેકાર પડેલુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
