વડાપ્રધાન આર્થિક વૃદ્ધિ મુદ્દે ઉદ્યોગપતિઓને મળશે

manmohan-singh
નવી દિલ્હી, 9 જુલાઇ : વડાપ્રધાન મનમોહન સિંહ ઔદ્યોગિક ઉત્પાદનને ગતિ આપવાના ઉપાયો તથા ચાલુ ખાતાની ખોટને નિયંત્રિત કરવાના ઉપાયો અંગે ચર્ચા કરવા માટે આ મહિનાના અંતમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે એક બેઠક યોજવાના છે.

પીએમ આર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા તથા વૃદ્ધિને ગતિ આપવાનો માર્ગ કાઢવા માટે ઉદ્યોગપતિઓ સાથે 29 જુલાઇના રોજ મળશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી આજે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર બેઠકમાં ચાલુ ખાતાનું નુકસાન ભરપાઇ કરવા તથા ઔદ્યોગિક વૃદ્ધિને પાટા પર લાવવા માટેના ઉપાયોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા જ વડાપ્રધાને રેલવે, બંદરો અને વીજળી ક્ષેત્રમાં જાહેર અને ખાનગી ભાગીદારી આધારિત યોજનાઓમાં આગામી છ મહિનાોમાં 1.15 લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય રાખ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X