બાબા રામદેવની પતંજલિએ રુચિ સોયા માટે ઓફર વધારી
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે દેવાના બોજ નીચે દબાયેલી રુચિ સોયા કંપની માટે તેની બોલી લગભગ 200 કરોડ રૂપિયા વધારીને 4,350 કરોડ રૂપિયા કરી દીધી છે.
બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે દેવાના બોજ નીચે દબાયેલી રુચિ સોયા કંપની માટે તેની બોલી લગભગ 200 કરોડ રૂપિયા વધારીને 4,350 કરોડ રૂપિયા કરી દીધી છે. જી હા રામદેવની પતંજલિ આયુર્વેદે બેન્કરપ્સીની પ્રક્રિયા માંથી પસાર રહેલી રૂચી સોયા માટે તેમની બોલી લગભગ 200 કરોડ રૂપિયા વધારી 4,350 કરોડ રૂપિયા કરી છે. લેંડર્સ આ રિવાઇસ ઓફર પર જલ્દી જ વિચાર કરી શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ બોલી કરનાર તરીકે ઉભરી અદાણી વિલ્મર પતંજલિ સાથે લાંબા વિવાદ પછી તેમની ઓફર પાછી લઇ લીધી હતી. અદાણી વિલ્મરે ઈનસૉલવેંસી પ્રોસેસમાં વિલંબનો હવાલો આપતા પોતાના હાથ ખેંચી લીધા હતા.
આ પણ વાંચો: કેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા?

સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી રુચિ સોયા
એ વાતની જાણકારી આપી દઈએ કે પતંજલિના પ્રવક્તા એસ. કે. તિજારાવાલાનું કહેવું છે કે અમે અમારી અગાઉની બોલીને રિવાઇસ કરી 4,350 કરોડ રૂપિયા કરી દીધી છે, જે અગાઉ 4,160 કરોડ રૂપિયા હતી. સોયાબીનનું સૌથી મોટું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા રુચિ સોયાને અમે બેલઆઉટ આપવા તૈયાર છીએ. આ નેશનલ એસેટ છે.

કમિટી ઓફ ક્રેડિટર્સ આગામી સપ્તાહમાં વિચાર કરશે
જણાવી દઈએ કે આ નિર્ણય ખેડૂતો અને ગ્રાહકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સના હિતોને જોઈને કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કમિટી ઓફ ક્રેડિટર્સ (સીઓસી) આગામી સપ્તાહમાં પતંજલિની રિવાઇસ ઓફર પર વિચાર કરી શકે છે.
ઇન્ડોર-આધારિત રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ ડિસેમ્બર 2017 માં કોર્પોરેટ ઈનસૉલવેંસી રિઝોલ્યુશન પ્રક્રિયામાં નાખવામાં આવી હતી. એનસીએલટીને ક્રેડિટર્સ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને ડીબીએસ બેન્કની અરજી પર શૈલેન્દ્ર અજમેરાને રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) નિમણૂંક કરવામાં આવ્યા હતા.

કુલ 12,000 કરોડ રૂપિયાનું દેવું
રુચિ સોયા પર કુલ 12,000 કરોડ રૂપિયાનું દેવું છે. દેવામાં ડૂબેલી કંપનીમાં ઘણા ઉત્પાદન પ્લાન્ટ છે અને તેની મુખ્ય બ્રાન્ડ્સમાં ન્યુટ્રિલા, મહાકોષ, સનરિચ, રુચિ સ્ટાર અને રુચિ ગોલ્ડનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં અદાણી વિલ્મરે ઠરાવ પ્રક્રિયામાં વિલંબ અંગે આરપીને લખ્યું હતું અને આ કારણે એસેટને નુકસાન થવાની વાત કહી હતી.
અદાણી વિલ્મર કહે છે કે પતંજલિની નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી), મુંબઇમાં જવાથી પ્રક્રિયામાં વિલંબ થયો છે. પતંજલિએ એનસીએલટીમાં લેંડર્સના નિર્ણયને પડકાર્યો હતો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
