2000 ની ફાટેલી નોટોનું શું થશે? RBI એ રિફંડ માટે જણાવ્યા આ નિયમો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં સૂચના આપી દીધી છે. રિઝર્વ બેંકએ પણ નોટ રિફંડ રુલ 2009માં કરેલા આ મહત્વપૂર્ણ ફેરફારોને તાત્કાલિક લાગુ કરવા માટે તમામ બેંકોને સૂચનો જારી કર્યા છે. સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (નોટ રિફંડ) નિયમ 2009 માં સુધારો કરતા કહ્યું કે મહાત્મા ગાંધી(નવી) શૃંખલામાં ફાટેલી નોટને બદલવામાં લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નિયમો અનુસાર માત્ર 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 રૂપિયાની નોટો બદલવાની જોગવાઈ હતી.

અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર બદલી શકાય છે
નોટની સ્થિતિ પર અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર તેને બદલી શકાય છે. રિઝર્વ બૅન્ક (નોટ રીફંડ) નિયમ 2009 માં સુધારો કરતી વખતે કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે નવી શ્રેણીમાં ફાટેલી નોટને બદલવા માટે લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
|
નોટની સંપૂર્ણ ચુકવણી માટે આટલું હોવું જરૂરી છે
નવી સિરીઝની નોટો જૂની સિરીઝની સરખામણીમાં નાની છે. રિઝર્વ બેન્કએ જણાવ્યું હતું કે, 50 રૂપિયા અને તેનાથી વધારે મૂલ્યની નોટની બાબતમાં સંપૂર્ણ મૂલ્યની ચુકવણી માટે નોટના ન્યુનતમ ક્ષેત્રની જરૂરતના આધારે પણ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. 50 રૂપિયાથી ઓછી મૂલ્યની ફાટેલી નોટના સંપૂર્ણ મૂલ્યની ચુકવણી ત્યારે જ થશે જયારે નોટના કુલ ક્ષેત્રના ઓછામાં ઓછા 40 ટકા હોય.
|
આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ
જો કે નોટ ફેરફારનો કાયદો આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ આવે છે. આમાં નોટબંધી પહેલાં જે રીતે ફાટેલી અથવા ગંદી નોટોને બદલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. નોટબંધી પછી રિઝર્વ બેંકે અત્યાર સુધી તેમાં કોઈ સુધારા કર્યા નથી. જ્યારે સુધારેલા નિયમોમાં 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઈને જોડી દીધી છે. ઉપરાંત 1000 રૂપિયાની નોટ બદલવા માટેની જોગવાઈ દૂર કરવામાં આવી છે. યાદ અપાવી દઈએ કે 2000 રૂપિયાની નોટો નવેમ્બર 2016 ની નોટબંધી પછી જારી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017 પછી 200 રૂપિયાની નોટો જારી કરવામાં આવી છે. આ મુદ્દાથી સમગ્ર દેશમાં લોકો મુશ્કેલીમાં છે. કાયદાના અભાવને કારણે બેંકો લોકોની નોટો બદલી શકતી નથી.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
