આરબીઆઇનો નવો નિયમ - ચાલુ ખાતા ધારકો માટે ઉપાડની સીમા વધારાઇ
દેશભરમાં નોટબંધી લાગુ થવાના 83 દિવસ બાદ આખરે ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ ખાતા ધારકોને રાહત આપી છે.
દેશભરમાં નોટબંધી લાગુ થઇ હોવાના 83 દિવસ બાદ આખરે ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ ખાતા ધારકોને રાહત આપી છે. તો બીજી બાજુ બચત ખાતા ધારકો માટેના નિયમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કરેલા આદેશ અનુસાર હવે ચાલુ ખાતા ધારક બેન્કમાંથી એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડી શકશે. અત્યાર સુધી ચાલુ ખાતા ધારકો એક અઠવાડિયામાં માત્ર 1 લાખ જ ઉપાડી શકતા હતા.

તો બીજી બાજુ બચત ખાતા ધારકોના નિયમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવ નિયમ અનુસાર બચત ખાતા ધારક એક વારમાં એટીએમમાંથી હવે 24,000 રૂપિયા ઉપાડી શકશે, પરંતુ એક અઠવાડિયામાં 24,000થી વધુ રોકડ ઉપાડવા પર હજુ પણ પ્રતિબંધ છે. સાથે જ આરબીઆઇ એ તમામ બેન્કોને સૂચના આપી છે કે તેઓ ડિજિટલ પેમેન્ટ પર વધુ ફોકસ કરે અને રોકડની લેણ-દેણને હતોત્સાહિત કરે.
નોટબંધીના નિર્ણય બાદ આરબીઆઇ એ બચત ખાતા અને ચાલુ ખાતા ધારકો માટે રકમ ઉપાડવાની સીમા નિશ્ચિત કરી દીધી હતી. નોટબંધીના તુરંત બાદ બચત ખાતા ધારકોને પ્રતિ દિવસ એટીએમમાંથી 4000 રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ આ સીમા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી હતી અને ત્યાર બાદ રૂપિયા 10,000 કરવામાં આવી. આમ છતાં, બેન્કમાંથી એક અઠવાડિયામાં માત્ર 24,000 રૂપિયા જ ઉપાડવાનો નિયમ હજુ બદલવામાં નથી આવ્યો.
હવે 30 જાન્યુઆરી, 2017ના રોજ આરબીઆઇ એ નવો આદેશ જાહેર કરતાં એક જ દિવસમાં 24,000 રૂપિયા ઉપાડવાની છૂટ બચત ખાતા ધારકોને આપી છે. તો બીજી બાજુ ચાલુ ખાતા ધારક 1 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે. નોટબંધી બાદ ચાલુ ખાતા ધારકો માટે પહેલાં એક અઠવાડિયામાં રૂપિયા 50,000ની સીમા નક્કી કરવામાં આવી હતી, જે 16 જાન્યુઆરીએ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે ચાલુ ખાતા ધારકો માટે પણ આ સીમા સમાપ્ત કરી દેવામાં આવી છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
