RBI 21 ફેબ્રુઆરીએ બેન્કોને પૂછશે લોન સસ્તી ન કરવાનું કારણ
આરબીઆઇ સેન્ટ્રલ બોર્ડ (RBI Board) અને નાણાં મંત્રી અરુણ જેટલી વચ્ચે સોમવારે મહત્વપૂર્ણ મીટિંગ થઇ હતી. આમાં, આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલા ડિવિડન્ડ પર સેન્ટ્રલ બેંકે તેનું વલણ સાફ કરી લીધું.
આરબીઆઇ સેન્ટ્રલ બોર્ડ (RBI Board) અને નાણાં મંત્રી અરુણ જેટલી વચ્ચે સોમવારે મહત્વપૂર્ણ મીટિંગ થઇ હતી. આમાં, આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલા ડિવિડન્ડ પર સેન્ટ્રલ બેંકે તેનું વલણ સાફ કરી લીધું. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે પાછળથી અરુણ જેટલી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરબીઆઇનું બોર્ડ ડિવિડન્ડ અંગે નિર્ણય લેશે અને અંતિમ નિર્ણય બિમલ જલાનની રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી લેવામાં આવશે. આ દરમિયાન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે, રેપો રેટમાં થયેલા ઘટાડા પછી પણ, બેંકો તરફથી વ્યાજના દરોમાં ઘટાડો ન કરવા પર નારાજગી દર્શાવી છે અને કહ્યું કે તેઓ આ બાબત પર ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે.
આ પણ વાંચો: RBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું

આરબીઆઈ (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ નારાજ
આરબીઆઈ (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે તેઓ 21 ફેબ્રુઆરીના રોજ બેંકના પ્રમુખો સાથે મીટિંગ કરશે! આ મીટિંગમાં વ્યાજના દરમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ લોકોને આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈ સતત નાણાકીય સંસ્થાઓની દેખરેખ રાખે છે. તે પ્રાઇવેટ અને સરકારી સંસ્થાઓને લઈને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતું.

નાણાકીય નુકસાન લક્ષ્યાંકને પહોંચી વળવામાં નિષ્ફળતાનો ભય
સરકાર અને આરબીઆઇ વચ્ચે બજેટ રજુ થયા પછી આયોજિત આ પરંપરાગત મીટિંગ એવા સમય પર થઇ છે, જયારે વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારના નાણાકીય નુકસાન લક્ષ્યાંક હાંસલ કરવામાં સરકાર નિષ્ફળ થવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બજેટને નાણાકીય નુકસાન જીડીપીના 3.4 ટકા રહેવાનું સંશોધિત અનુમાન લગાવવામાં આવ્યું છે. તે પહેલાં તેનું બજેટ અંદાજ 3.3 ટકા રાખવામાં આવ્યું હતું.

નુક્સાનનું લક્ષ્ય પૂરું ન થવાના મુખ્ય કારણો
- સરકાર તરફથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સની છૂટ
- પીએમ કિસાન ઘોષણા, જેમાં દર વર્ષે નાના ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવશે.
- નવા નાણાકીય વર્ષ દરમિયાન સ્ટાન્ડર્ડ ડિડક્શનને પણ રૂ. 40 હજારથી વધારીને રૂ .50 હજાર કરવા.
- રૂ. 10,000 થી રૂ. 40,000 સુધી ટીડીએસની મર્યાદા વધારો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
