SBI ના ગ્રાહકોને મળી ડબલ ભેટ, લોન લેનારાઓ માટે સારા સમાચાર
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI) ના ગ્રાહકોને મોટી ભેટ મળી છે. બેંકે તેના ગ્રાહકોને ડબલ ભેટ આપી છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI) ના ગ્રાહકોને મોટી ભેટ મળી છે. બેંકે તેના ગ્રાહકોને ડબલ ભેટ આપી છે. SBI એ ગ્રાહકોને રાહત આપતા લોનના દરમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેંકના ઘટાડા પછી, બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર અને હોમ લોનના દર ઘટાડ્યા છે.
આ પણ વાંચો: નવરાત્રીમાં આ બેંકે વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો, સસ્તી થઇ લોનની EMI

SBI ગ્રાહકો માટે સારા સમાચાર
SBI એ તેના ગ્રાહકોને ડબલ ભેટ આપી છે. આરબીઆઈ દ્વારા 0.25 ટકા વ્યાજના દરોમાં ઘટાડો કર્યા પછી, એસબીઆઈ બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 10 એપ્રિલથી લાગુ થઇ ગયો છે. બેંકે બધી અવધિ માટે એમસીએલઆરના દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે 1 વર્ષનો એમસીએલઆર 8.55 ટકાથી ઘટાડીને 8.50 ટકા કર્યો છે. તો એમસીએલઆર સાથે લિંક્ડ તમામ લોન્સના વ્યાજ દર માં 0.05 ટકા ઘટાડો કર્યો છે. 30 લાખ રૂપિયા સુધીની લોન લેનારા લોકોનો વ્યાજ દર 0.10 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે.

અસર શું થશે
બેંકે એક બીજી લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને બીજી બાજુ સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજદરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ કરવાથી એસબીઆઈની હોમ લોન, ઓટો લોન અને વ્યક્તિગત લોનની ઇએમઆઈ ઓછી થઇ જશે.

SBI ની નવી સુવિધા
બેંકે તેની લોનને રેપો રેટ સાથે લિંક કરી દીધી છે. આના કારણે એસબીઆઈના સેવિંગ રેટમાં ફેરફાર થયો છે. બેંકનો નવો દર 1 લી મે, 2019 થી લાગુ થશે. બેંકનો નવો દર 1 લી મે, 2019 થી લાગુ થશે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક દ્વારા વ્યાજના દરોમાં 0.25% ના ઘટાડા પછી, બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. બેંક દ્વારા કરવામાં આવેલા ઘટાડા વિશેની વિગતવાર માહિતી તમે બેંકની વેબસાઇટ પર જઈને લઈ શકો છો.












Click it and Unblock the Notifications
