ટ્રાન્સપોટર્સ લડાયક મિજાજમાં : પહેલી એપ્રિલથી હડતાલ

આ અંગે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)ની એક બેઠક આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે મળી હતી. મિટીંગમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં 170%નો વધારો, આડેધડ ટોલટેક્ષ વસુલી, ગુજરાત સિવાયના રાજ્યોમાં પોલીસની અકારણ કનડગત, ડીઝલમાં દર મહિને વધારાતા ભાવો અને લાંબા સમયથી ટેક્ષના પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા સરકાર સાંભળે તે રીતે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે ટ્રાન્સપોટર્સ દ્વારા હડતાલના માધ્યમનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં 26 રાજ્યોના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. તેમણે 1 એપ્રિલ, 2013થી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડાં ફરતા બંધ કરવાનું નક્કી કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુદી જુદી ચાર માંગણીઓ સંદર્ભે બેઠકમાં ઉંડી ચર્ચાઓ થઇ હતી.
આ મુદ્દાઓમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના પ્રિમીયમમાં 170%નો જંગી વધારો 1લી એપ્રિલથી લાદવામાં આવી રહ્યો છે તે મૃતપ્રાયઃ અવસ્થામાં પડેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડયા પર પાટા સમાન છે. દેશભરના ટોલનાકા ઉપર નિર્ધારીત ટેકસ વસૂલીના માપદંડને અનુસરવામાં આવતો નથી. અવાર-નવાર મનફાવે તેવો વધારો કરી દેવામાં આવે છે. ક્યાં કયાંક રિર્ટન પાસ પરાણે પકડાવી દેવામાં આવે છે.
ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પોલીસની અકારણ હેરાનગતીથી ટ્રાન્સપોર્ટ માલિકો ખૂબ પરેશાન છે. કેટલાક રાજ્યોમાં ખોટી રીતે ઓવરલોડના કેસો કરવાની ધમકી આપી નાણા પડાવવામાં આવે છે અને ક્યારેક ખોટા કેસો કરી ચાર-ચાર હજારની પાવતી પકડાવી દેવામાં આવે છે.
આ ઉપરાંત રોડટેક્સ, ગુડ્ઝ ટેક્સ, પ્રોફેશ્નલ ટેકસ, નેશનલ પરમીટ ટેક્સમાં ઘટાડવાની માંગણી કોઇ કાને ધરતું નથી. દર મહિને ડીઝલમાં 50 પૈસા - રૂપિયો વધારી સરકાર ચાણક્ય નિતિ વાપરી રહી છે. ડીઝલમાં જે રીતે વધારો થાય તે રીતે વેપારી પાસેથી ટ્રાન્સપોર્ટરોને ભાડા વધારો મળતો નથી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
