Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તાજમહેલ વિશેની 10 ચોંકાવનારી વાતો જે આપે ક્યારેય નહીં સાંભળી હોય

આગરા, 21 મે: કહેવાય છે કે પ્રેમ એ એક પ્રાર્થના છે, અને તાજમહેલ એ પ્રેમની પ્રાર્થના માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રેમની શાનદાર કારીગરીને જોઇને લોકો આજે પણ પ્રેમ પર વિશ્વાસ કરે છે કારણ કે આ પ્રેમમાં સમર્પણ, ત્યાગ, ખુશી અને તે બધું જ છે જે પ્રેમને યોગ્ય વાતાવરણ પુરુ પાડે છે.

આવો આપને જણાવીએ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ આ બેમિસાલ, સુંદર અને વિશ્વની આઠમી અજાયબી તાજમહેલ અંગેની કેટલીંક અજાણી વાતો...

તાજમહેલ

તાજમહેલ

એ તો સૌ જાણે છે કે શાહજહાએ પોતાની પત્ની મુમતાજની યાદમાં તાજમહેલ બનાવડાવ્યો હતો, પરંતુ મુમતાજ એ શાહજહાંની ત્રીજી પત્ની હતી.

તાજમહેલ

તાજમહેલ

મુમતાજ, શાહજહાની 14મી સંતાનને જન્મ આપતી વખતે સ્વર્ગ સિધાવી ગઇ હતી, તેમના મર્યા બાદ શાહજહાંએ તેમની યાદમાં આ તાજમહેલ બનાવડાવ્યો હતો.

તાજમહેલ

તાજમહેલ

કહેવાય છે કે બુરહાનપુરમાં મુમતાજનું મૃત્યું થયું હતું, તેમને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યા હતા અને 6 મહીના બાદ તેમના શબને કબરમાંથી નિકાળીને શાહજહા પોતાની સાથે આગરા લઇ ગયા અને તાજમહેલમાં તેમને દફનાવ્યા હતા.

તાજમહેલ

તાજમહેલ

કહેવામાં આવે છે કે જ્યા સુધી તાજમહેલ બનીને તૈયાર ન્હોતો થયો, ત્યાં સુધી મુમતાજના શબને લેપ લગાવીને મમીના રૂપમાં રાખવામાં આવ્યો હતો.

તાજમહેલ

તાજમહેલ

તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું હતું અને તેને બનાવવામાં આખા 22 વર્ષ લાગ્યા હતા.

ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

તાજમહેલના પાયામાં એક ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હવે યમુનાનું જળસ્તર ઓછું થવાના કારણે સૂકાતી જઇ રહી છે. જેના કારણે તાજમહેલના અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો છે.

આઠ દેશોમાંથી સામગ્રી

આઠ દેશોમાંથી સામગ્રી

તાજમેહલના નિર્માણ માટે આઠ દેશોમાંથી નિર્માણ માટે સામગ્રી મંગાવવામાં આવી હતી.

વધતા પ્રદુષણથી ખતરો

વધતા પ્રદુષણથી ખતરો

વધતા પ્રદુષણના કારણે તાજમહેલની સફેદી પર અસર થઇ રહ્યું છે. એટલા માટે તેના કેટલાંક ભાગો પર મુલ્તાની માટીનો લેપ લગાવવામાં આવ્યો, પરંતુ રંગ પર અસર નથી થયો.

દુનિયાની પહેલી અજાયબી

દુનિયાની પહેલી અજાયબી

તાજમહેલને દુનિયાની આઠમી અજાયબીમાં સામેલ કરવા માટે દુનિયાભરમાં વોટિંગ કરવામાં આવ્યું હતું, તાજમહેલને એટલા વોટ મળ્યા હતા કે જેના લીધે તે દુનિયાનું પહેલી અજાયબી બની ગયું.

વિશ્વ ધરોહર

વિશ્વ ધરોહર

તાજમહેલ ફારસી, તુર્ક, ભારતીય અને ઇસ્લામી વાસ્તુકલાના ઘટકોનો એવો અનોખો સંગમ છે. તેના જ પગલે યૂનેસ્કોએ વર્ષ 1983માં વિશ્વ ધરોહર જાહેર કર્યું હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X