એવા સવાલો, જેને પૂછતા જ ઉકળી ઊઠે છે આપણા નેતાઓ!
આપણા ભારતના રાજનેતાઓ જુદા જુદા માહોલમાંથી રાજનીમાં આવ્યા છે, અને દરેક નેતાઓ પોતાની એક આગવી અદા અને અલાયદુ વલણ ધરાવે છે. કેટલાંક તો એવા છે જેમની પાસે દરેક વાતના ઘણા જવાબ હોય છે, જ્યારે કેટલાંક તો કંઇ બોલતા જ નથી.
અહીં અમે આવા 14 પ્રશ્નો મૂક્યા છે જેની પર જેની પર અમારા નેતા હંમેશા અસહજ બની જાય છે. જેમકે નીતિશ કુમાર, મુલાયમ સિંહ યાદવ અને માયાવતી ને જ્યારે વડાપ્રધાન બનવા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેઓ કોઇપણ સ્પષ્ટ જવાબ આપી શકતા નથી, અને વાતને ગોળ ગોળ ફેરવે છે.
અહી આપેલા સવાલોમાં એ જ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તે વર્તમાન ઘટનાક્રમ પર આધારિત છે. અહીં આપેલા સવાલો અને તેના જવાબો કોઇ ઇન્ટર્વ્યૂમાંથી લેવામાં આવ્યા નથી કે કોઇ નેતાઓ કહ્યા નથી. આ સવાલો અને જવાબો માત્ર અનુમાન છે.
જુઓ કયા સવાલોથી કયા નેતાઓ ઉળકી ઊઠે છે:

જેડીયૂ નેતા અને બિહારના મુખ્યમંત્રી
સવાલ- નીતિશ કુમારને જ્યારે પણ એ સવાલ પૂછવામાં આવે છે 'શું તમે વડાપ્રદાન બનવા માંગો છો?'
જવાબ- નો, અરે બાદમાં વાત કરીશું

સમાજવાદી પાર્ટીના નેતા
સવાલ- શું અખિલેશ યાદવ એક મુખ્યમંત્રી તરીકે નિષ્ફળ નિવડ્યા છે?
જવાબ- અરે યાર મને સાપ્રદાયિક નરેન્દ્ર મોદી અંગે કઇ પૂછો તો હું જવાબ આપીશ.

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ
સવાલ- શું આપ વડાપ્રધાન બનવા માગો છો?
જવાબ- ઓ ગોડ, આ લોકો હંમેશા મારી પાછળ જ પડ્યા રહે છે, અરે મારા દાદા અને નાની આપ ક્યા છો....?

વડાપ્રધાન, ભારત
સવાલ- આપ આટલું ઓછું કેમ બોલો છો?
જવાબ- હમ્મમ....!

કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી
સવાલ- આપ થોડું ઓછું કેમ નથી બોલતા?
જવાબ- હું મુલાયમ સિંહને એક્સપોઝ કરી દઇશ. હું જાણું છું કે તેમણે અત્યાર સુધી શું કર્યું છે. હું મારી નિવેદન માટે માફી નહી માંગું.

વરિષ્ઠ ભાજપા નેતા
સવાલ- આપ વડાપ્રધાન કેમ ના બની શક્યા?
જવાબ- હા.. હા... હી... હી (હું વિચારુ છું કે કદાચ હું વડાપ્રધાન હોત..)

મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ
સવાલ- શું આપ સીપીએમની સાથે, ત્રીજો મોર્ચો રચવાનું પસંદ કરશો?
જવાબ- અરે તારી હિમ્મત કેવી રીતે થઇ આવો સવાલ મને કરવાની. ભાગો અહીંથી... આ સીપીએમનું મારા વિરુધ્ધ ષડયંત્ર છે.

સીપીએમ, મહાસચિવ
સવાલ- આપણા દેશમાં ક્રાંતિ ક્યારે આવશે?
જવાબ- અરે પહેલા મને મારા પગ પર ઉભો તો થઇ જવા દો.

યૂપીએની અધ્યક્ષા
સવાલ- આપ ઇન્ડિયન મેડિકલ સાયન્સથી સંતુષ્ટ કેમ નથી?
જવાબ- હમ્મ.. મને લાગે છે કે ઇટલી મારા રહેવા માટેનું ઉત્તમ સ્થળ છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, પ્રમુખ
સવાલ- આપ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ક્યારે બનશો?
જવાબ- ખબર નથી, એવું ક્યારે થશે, પરંતુ હું કોઇ બિહારીને મહારાષ્ટ્ર નહી આવવા દઉ.

રાજદ અધ્યક્ષ
સવાલ- આપ જેલથીમાંથી પાછા ક્યારે આવશો, આપની ગાયો રાહ જોઇ રહી છે.
જવાબ- પહેલા ખાવાનું, પછી ઘરે જવાનું. મને ડિસ્ટર્બ ના કરો, મારી પાસે ઘણો બધો ચારો છે. આ સમય જેલના ચોખા ખાવાનો છે.

કોંગ્રેસ મહાસચિવ
સવાલ- આપ મોદી વિરુધ્ધ હવે શું બોલવાનું વિચારી રહ્યા છો?
જવાબ- અરે... મને વિચારવા દો. મારું ટ્વિટર એકાઉન્ટ ક્રેશ કરી લેવામાં આવ્યું છે. લાગે છે કે આ પણ પ્રો-ભાજપા થઇ ગયા છે.

બહુજન સમાજવાદી પાર્ટી, અધ્યક્ષ
સવાલ- શું આપ પોતાને દલિતોની ક્વિન એલિઝાબેથ સમજો છો?
જવાબ- બિલકૂલ સાચું કહ્યું... હું આપને આવનારી લોકસભા ચૂંટણી માટે ટીકિટ આપીશ. સતીશ ક્યાં છો?

ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર
સવાલ- જો આપ વડાપ્રધાન બનશો તો શું કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેશો?
જવાબ- હા.. વિચારીશું....












Click it and Unblock the Notifications
