For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શહેજાદા' રાહુલ ગાંધી પાસે જનતા માંગે છે આ 25 પ્રશ્નોના જવાબ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 ઓક્ટોબર: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતના પ્રવાસ પર છે. અહીં આવતાંની સાથે જ તે સાબરમતી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમ મુજબ તેમને કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને લોકસભા 2014ની ચૂંટણી માટે રણનિતી ઘડી હતી. એવામાં દેશની જનતાએ રાહુલ ગાંધી સમક્ષ પ્રશ્નોનો વરસાદ કરી દિધો. જેમાં કેટલાક મહત્વના પ્રશ્નો તમારી સમક્ષ રાખવામાં આવી રહ્યાં છે.

તે પહેલાં આપણે વાત કરીશું રાહુલ ગાંધીની પર્સનાલિટીમાં થઇ રહેલા પરિવર્તન વિશેની. જે પ્રમાણે કલંકિત સાંસદ-ધારાસભ્યોને બચાવનાર વટહુકમ પર રાહુલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, તેનાથી સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી તેમનીએ સામે આવનાર પડકારોને સારી રીતે જાણે છે અને તેમને ખબર છે કે જો વડાપ્રધાન પદની રેસમાં ઝડપથી દોડી રહેલા નરેન્દ્ર મોદીને હળવાશથી લેવામાં આવશે તો આગળ જઇને નુકસાન થઇ શકે છે.

રાહુલ ગાંધી ભલે ગુજરાત જાય કે પછી ઉત્તર પ્રદેશ કે પછી દિલ્હી, સમાજનો એક વર્ગ અત્યારે એમ સમજી ચૂક્યો છે કે લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી જ નરેન્દ્ર મોદીને ટક્કર આપશે. જો કે કોંગ્રેસના સમીકરણ અત્યારે આના પર પોતાની મોહર લગાવતી જોવા મળી રહી નથી. જવા દો ચૂંટણી શું થશે, એતો સમય જ બતાવશે. હાલ આપણે વાત કરીએ રાહુલ ગાંધી માટે તે પ્રશ્નોની જે પ્રજાએ તેમને પૂછ્યા છે. સ્લાઇડરમાં બધા પ્રશ્નો ફેસબુકના માધ્યમથી વનઇન્ડિયાના પેજ પર પૂછવામાં આવ્યા હતા.

પ્રશ્ન નંબર-1

પ્રશ્ન નંબર-1

શાહનજર યાસીન: ભ્રષ્ટાચાર માટે જનલોકપાલ બિલ કાયદો અત્યાર સુધી કેમ પસાર કરવામાં આવ્યો નથી, જો કે અણ્ણાજીના આંદોલન વખતે તેમની બધી શરતો તમે જ સ્વિકારી હતી. તમારી સરકારી વાયદા કરીને કેમ ફરી ગઇ?

પ્રશ્ન નંબર-2

પ્રશ્ન નંબર-2

અજય ઉપાધ્યાય: શું તમારીમાં સક્ષમ નેતા નથી, જેને શક્તિશાળી વડાપ્રધાન બનાવી શકાય? જો તમે મનમોહન સિંહનો લઇ રહ્યાં છો તો, માફ કરજો તે અર્થશાસ્ત્રીના રૂપમાં યોગ્ય છે, પરંતુ વડાપ્રધાન તરીકે નબળા છે.

પ્રશ્ન નંબર-3

પ્રશ્ન નંબર-3

સૂરજ સિંહ: દેશને આઝાદ થયે 66 વર્ષ થઇ ગયા, જેમાં એનડીએ 6 અને યુપીએ 60 વર્ષ રાજ કર્યું. તેમછતાં દેશ ગરીબ, બિમાર, બેરોજગાર, અસ્વસ્થ કેમ છે?

પ્રશ્ન નંબર-4

પ્રશ્ન નંબર-4

બિરેન્દ્ર કુમાર: રાહુલજી તમારી પર જે બળાત્કારનો આરોપ લાગ્યો હતો તેનું શું થયું?

પ્રશ્ન નંબર-5

પ્રશ્ન નંબર-5

પપ્પુ રાઠોડ: ગાંધીજી વાત ક્યારે માનશો તમે, તેમને કહ્યું હતું કે આઝાદી પછી કોંગ્રેસ કરી દેજો?

પ્રશ્ન નંબર-6

પ્રશ્ન નંબર-6

સંદીપ સંઘલ: ગત દિવસોમાં હજારો કરોડોના ગોટાળા થયા, શું તમે તે પૈસા દેશને પરત અપાવી શકો છો? જો હા તો ક્યાં સુધી?

પ્રશ્ન નંબર-7

પ્રશ્ન નંબર-7

સંદીપ સંઘલ: આતંકવાદી અને સેનામાંથી કોણ સારું છે, જો સેના તો તેમનું પેન્શન કરી આતંકવાદીઓના પરિવારોને પેન્શન કેમ?

પ્રશ્ન નંબર-8

પ્રશ્ન નંબર-8

રોહિત મિશ્રા: મુસલમાનોને તમે આટલું મહત્વ કેમ આપો છો, જ્યારે હિન્દુઓ માટે હંમેશા વિરૂદ્ધ રહ્યાં છો. શું તમારી સરકાર ફક્ત મુસ્લિમોના જોરે ચાલે છે?

પ્રશ્ન નંબર-9

પ્રશ્ન નંબર-9

વિવેક શર્મા: તમારી માતા સોનિયા ગાંધી અને જીજાજી રોબટ વાઢેરા પાસે એટલી સંપત્તિ છે. આ સંપત્તિ કેવી રીતે કમાયા તેનો હિસાબ આપી શકો છો?

પ્રશ્ન નંબર-10

પ્રશ્ન નંબર-10

ઇશ્વર આશીષ: જ્યારે કલંકિત નેતાઓને બચાવવા માટે વટહુકમ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે શું તમને જાણકારી ન હતી, પછી હિરો બનીને આવ્યા અને જો જાણકારી ન હતી તો તમે પાર્ટીને લીડ કરવાનો કોઇ હક નથી.

પ્રશ્ન નંબર-11

પ્રશ્ન નંબર-11

પંકજ શો: તમે કોણ છો? કયા આધારે તમે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને તમે એવું શું કર્યું છે, જેથી અમે તમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરીએ?

પ્રશ્ન નંબર-12

પ્રશ્ન નંબર-12

અંકુર શર્મા: તમે તમારી ક્વોલિટી જણાવો જેથી તમે વડાપ્રધાન બનાવવામાં આવે? રાહુલ ગાંધી તમે હંમેશા ધડ પગ વિનાની વાતો કરો છો?

પ્રશ્ન નંબર-13

પ્રશ્ન નંબર-13

દત્તૂ ચિલાલ: શું તમે વિચારો છો કે ભારત પ્રગતિશીલ છે... આઝાદીના 66 વર્ષો પછી પણ ભારત સંપૂર્ણપણે વિદેશી વેપાર પર નિર્ભર કેમ છે?

પ્રશ્ન નંબર-14

પ્રશ્ન નંબર-14

અંજલી મહેતા: રાહુલજી તમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને પોતાના કરતાં ઓછા આંકો છો કે પછી પોતાને વધુ પ્રભાવશાળી સમજો છો?

પ્રશ્ન નંબર-15

પ્રશ્ન નંબર-15

મદનલાલ શર્મા: તમારામાં પ્રતિભા છે, તો પછી આટલા દિવસો સુધી રાજકીય સળગતા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવામાં મોડું કરતાં વિપક્ષ તક ઝડપી લે છે. તમે એક સારા વડાપ્રધાન હોત જો મનમોહનના સ્થાન અને પદ કલંકિત વટહુકમ પર તમે પોતાના સ્ટેન્ડ પર વધુ જોર આપતાં, અડધી ક્રેડિટથી તમે શુભચિંતકોએ તમારી મજાક અને વડાપ્રધાન પદની ગરિમાને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે જનતા તમને ક્રેડિટ આપી રહી છે.

પ્રશ્ન નંબર-16

પ્રશ્ન નંબર-16

શાહનજર યાસીન: ભ્રષ્ટાચાર માટે જનલોકપાલ બિલ કાયદો અત્યાર સુધી કેમ પસાર કરવામાં આવ્યો નથી, જો કે અણ્ણાજીના આંદોલન વખતે તેમની બધી શરતો તમે જ સ્વિકારી હતી. તમારી સરકારી વાયદા કરીને કેમ ફરી ગઇ?

પ્રશ્ન નંબર-17

પ્રશ્ન નંબર-17

મનોજ કુમાર સિંહ: આ ભાઇ સાહેબ હિન્દુસ્તાનનો પીછો ક્યારે છોડશે?

પ્રશ્ન નંબર-18

પ્રશ્ન નંબર-18

રાઘવ પવાર તથા જાહિર અહમદ: રોજગાર માટે સરકારે કયા પગલાં ભર્યા છે? ભારતમાં યુવાનોને નોકરી કેમ મળી રહી નથી?

પ્રશ્ન નંબર-19

પ્રશ્ન નંબર-19

મુકેશ શર્મા: રોજગારી આપવી જોઇએ કે પછી ફક્ત ચાર રોટલી?

પ્રશ્ન નંબર-20

પ્રશ્ન નંબર-20

રેહાવ ફિઝા: ભાઇ ક્યારેક તો કોઇ ન્યૂઝ ચેનલ પર ડિબેટમાં આવી જા...કેમ ડરી રહ્યો છે આટલો... જનતાના પ્રશ્નોના જવાબ આપ... ગાંધીના માર્ગે ચાલ... કે પછી મોદીને ફોલો કર...કદાચ્ગ આનાથી દેશનું કલ્યાણ થઇ જાય...પ્લીઝ...આમ બાંયો ચઢાવવાથી કંઇ નહી થાય...ના તો આ દેશનું અને ના તો તમારું?

પ્રશ્ન નંબર-21

પ્રશ્ન નંબર-21

સીઆર જાટ માહિયા: રાહુલ ગાંધી શું તમે ક્યારેય મનમોહન સિંહના પગે પડ્યા છો? જો હા તો તે ફોટો સાર્વજનિક કરીને બતાવો.

પ્રશ્ન નંબર-22

પ્રશ્ન નંબર-22

યોગેશ માલવીય: શું ખરેખર દેશના વડાપ્રધાન તમારા અને તમારા પરિવારના ગુલામ છે?

પ્રશ્ન નંબર-23

પ્રશ્ન નંબર-23

કુશલ સિંહ: અમે બિમાર હોઇએ છીએ તો સરકારી હોસ્પિટલમાં જઇએ છીએ. તમે અથવા તમારા પરિવારનો કોઇ સભ્ય બિમાર થાય છે તો સારવાર માટે વિદેશ કેમ જાવ છો, શું દેશમાં હોશિયાર ડૉક્ટરોની કમી છે?

પ્રશ્ન નંબર-24

પ્રશ્ન નંબર-24

રજીબ મંડલ: રાહુલ ગાંધી તમે લગ્ન ક્યારે કરશો?

પ્રશ્ન નંબર-25

પ્રશ્ન નંબર-25

અજય મોહન: રાહુલ ગાંધી તમારી પાર્ટીમાં કયો એવો નેતા છે જે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે?

English summary
Congress Vice President Rahul Gandhi is on Gujarat visit. Before he speak people are raising some interesting questions against him. Here is the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X