Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

7 જૂન 1893: મહાત્મા ગાંધીને જ્યારે ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દીધા…

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 7 જૂન 1893 ની ઐતિહાસિક ઘટનાની 125 મી જન્મજયંતિ પર આયોજિત એક ભોજમાં મુખ્ય વક્તા તરીકે એક બહુ મોટી વાત કહી.

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 7 જૂન 1893 ની ઐતિહાસિક ઘટનાની 125 મી જન્મજયંતિ પર આયોજિત એક ભોજમાં મુખ્ય વક્તા તરીકે એક બહુ મોટી વાત કહી. સુષ્માએ કહ્યુ કે રંગભેદ સામેની લડાઈમાં દક્ષિણ આફ્રિકી લોકોની મદદ કરવામાં ભારતે હંમેશાથી મહત્વની ભૂમિકા નિભાવી છે. મહાત્મા ગાંધીજી અને નેલ્સન મંડેલાએ અન્યાય અને ભેદભાવનો સામનો કરી રહેલ લોકોને આશાનું કિરણ બતાવ્યુ કે જે પ્રશંસનીય છે. તમને જણાવી દઈએ કે 7 જૂન, 1893 ના રોજ યુવાન વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીને માત્ર ગોરાઓ માટે અનામત ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ એક નવા ગાંધીને જન્મ આપ્યો હતો. જેણે માત્ર ભારત જ નહિ પરંતુ દક્ષિણ આફ્રિકાના લોકોને એક નવો વિચાર આપ્યો હતો.

આવો વિસ્તારથી જાણીએ 7 જૂનની એ ઐતિહાસિક ઘટના વિશે....

વાત વર્ષ 1893 ની છે..

વાત વર્ષ 1893 ની છે..

વાત વર્ષ 1893 ની છે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી ગુજરાતના રાજકોટમાં વકીલાતની પ્રેકટીસ કરતા હતા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના શેઠ અબ્દુલ્લાએ તેમને પોતાનો કેસ લડવા માટે પોતાના વતનમાં બોલાવ્યા હતા. ગાંધીજી પાણીના જહાજ પર સવાર થઈને દક્ષિણ આફ્રિકાના ડરબન પહોંચ્યા હતા અને પછી તેમણે અહીંથી 7 જૂન 1893 ના રોજ પ્રીટોરિયા માટે ટ્રેન પકડી હતી. ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી પરંતુ જ્યારે ટ્રેન પીટરમારિટ્જબર્ગ પહોંચવાની હતી ત્યારે ભારતીય હોવાના કારણે તેમને થર્ડ ક્લાસવાળા ડબ્બામાં જવા માટે કહેવામાં આવ્યુ કારણકે તે ગોરાઓ માટે અનામત ડબ્બામાં હતા પરંતુ ગાંધીજીએ આ વાત માનવાનો ઈનકાર કરી દીધો કારણકે તેમની પાસે ટિકિટ હતી.

ગોરાઓએ જબરદસ્તી ગાંધીજીને પીટરમારિટ્જબર્ગ સ્ટેશન પર ઉતાર્યા

ગોરાઓએ જબરદસ્તી ગાંધીજીને પીટરમારિટ્જબર્ગ સ્ટેશન પર ઉતાર્યા

ગોરાઓએ જબરદસ્તીથી પીટરમારિટ્જબર્ગ સ્ટેશન પર ગાંધીજીને ઉતારી દીધા. કડકડતી ઠંડીમાં બેરિસ્ટર ગાંધી પીટરમારિટ્જબર્ગ સ્ટેશનના વેઈટિંગ રૂમમાં પહોંચ્યા અને તે એ વિચારતા રહ્યા કે આવુ તેમની સાથે કેમ કરવામાં આવ્યુ, શું તેમને ભારત પાછા જતા રહેવુ જોઈએ કે પછી ભારતીયો સાથે ત્યાં થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈએ. છેવટે ગાંધીજીએ નિર્ણય કર્યો કે તે ભારતીયો માટે સંઘર્ષ કરશે અને ત્યારબાદ જન્મ થયો ‘સત્યાગ્રહ' નો, જેનો અર્થ હતો અન્યાય સામે શાંતિપૂર્વક લડાઈ લડવી.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીને ઘણી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો

દક્ષિણ આફ્રિકામાં ગાંધીને ઘણી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ઘણી વાર ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગાંધીજીએ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો તો આફ્રિકામાં ઘણી હોટલોમાં તેમનો પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. 1893 થી લઈને 1914 સુધી મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં નાગરિકોના અધિકારો માટે આંદોલન કરતા રહ્યા.

‘સત્યાગ્રહ’ થી જીતી આઝાદીની લડાઈ

‘સત્યાગ્રહ’ થી જીતી આઝાદીની લડાઈ

ગાંધીજીની વાતોની અસર ત્યાંના પીડિત લોકો પર થઈ અને જોતજોતામાં તે બધા ગાંધીજી સાથે આવીને ઉભા રહ્યા. આ એ સમય હતો જ્યારે એકતાએ ચૂપચાપ પોતાની તાકાત બતાવી હતી અને આ આંદોલને ઈતિહાસ રચી દીધો. 1915 માં ગાંધીજી ભારત પાછા ફર્યા અને પછી આઝાદીનું જે આંદોલન ચલાવ્યુ તેણે જ આપણને અંગ્રેજોથી આઝાદ કરાવ્યુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X