Chanakya Niti : દગાથી બચવા અપનાવો આ ચાણક્ય નીતિ, જીવનમાં મળશે સફળતા
Chanakya Niti : દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે. આ માટે તે દરેક શક્ય પ્રયત્નો પણ કરે છે, પરંતુ જીવનના અનેક મોર પર છેતરપિંડી થવાને કારણે તે સફળતાની લડાઈ હારી જાય છે. આચાર્ય ચાણક્યએ આ માટે કેટલીક ટિપ્સ આપી છે.
Chanakya Niti : આચાર્ય ચાણક્યની દુનિયાના પ્રખ્યાત વિદ્વાનો અને કુટનીતિજ્ઞોમાં થાય છે. ચાણક્ય દ્વારા માનવ જીવન સંબંધિત ઘણી બધી નીતિઓ જણાવવામાં આવી છે. જીવનમાં સફળ થવું હોય તો દગાખોર લોકોથી બચીને રહેવું જોઇએ. કારણ કે, સફળ લોકોની ઇર્ષા કરતા લોકો દગો કરીને તેમને નીચે પાડવાનું કામ કરે છે. આવામાં આપણે ચાણક્ય નીતિ વિશે જાણી લેવું જોઇએ. જેનાથી આપણને નિરંતર સફળતા મળવાની સાથે દગાથી પણ બચી શકીએ છીએ.
વાણી અને સંગત
વ્યક્તિએ હંમેશા પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. વાણી એક એવી વસ્તુ છે, જે વ્યક્તિને જમીનથી ધરતી પર લઈ જઈ શકે છેઅને તેને ખાડામાં પણ નાખી શકે છે. આવી સ્થિતિમાં હંમેશા મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે હંમેશા સજ્જનોનો સંગ રાખો.તેનાથી વ્યક્તિના વ્યક્તિત્વમાં નિખાર આવે છે અને ખોટા રસ્તે જવાનું ટાળે છે.
મહેનત
ઘણા લોકો પોતાનું જીવન નસીબ પર છોડી દે છે અને મહેનત કરવાથી ભગતા ફરે છે. આચાર્ય ચાણક્યના મતે આવું કરવું ઘણું ખોટું છે. જેલોકો મહેનત કરે છે તેવા લોકોને જીવનમાં હંમેશા સફળતા મળે છે. આવી સ્થિતિમાં નસીબની સાથે મહેનત પણ કરવી પણ અતિ આવશ્યકછે.
ઘર-પરિવાર
આચાર્ય ચાણક્યની નીતિઓ અનુસાર, જે વ્યક્તિ પોતાની કમાણીથી સંતુષ્ટ હોય છે, તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. આ સાથે જોપરિવારમાં આજ્ઞાકારી પત્ની અને આદરપાત્ર બાળકો હોય, તો આવા વ્યક્તિનું જીવન સ્વર્ગ સમાન બની જાય છે.
જે સામે જેની પત્ની તેનાપતિના ઘર કરતા પોતાના માતાપિતાના ઘરનો મોહ વધારે રાખે છે, તેવા વ્યક્તિનું જીવન નર્ક સમાન બની જાય છે. આવી સ્ત્રીનો ત્યાગકરવામાં સમજદારી છે.