ખરેખર અલાઉદ્દીન ખિલજીના ગુલામ મલિક કાફૂર સાથે શારીરિક સંબંધ હતા? જાણો શું કહે છે ઇતિહાસ?
દિલ્હીની ગાદી પર રાજ કરનારા અલાઉદ્દીન ખિલજીને લઈને ઇતિહાસમાં ઘણી કહાનીઓ પ્રચલિત છે. આમાંથી એક વાત તેના સમલૈંગિક સંબંધોને લઈને પણ છે. કહેવાય છે કે તેના એક ગુલામ સાથે શારીરિક સંબંધ હતા.
ખિલજીની બે કહાનીઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એક રાણી પદ્માવતી સાથેનો પ્રેમ અને બીજી ગુલામ મલિક કાફુર સાથેના સંબંધ છે. ગુલામ કાફુર સાથેના સંબંધને લઈને ઈતિહાસકારોમાં મતભેદ છે.

ઘણા કહે છે કે ખિલજી અને ગુલામના એકબીજા સાથે શારીરિક સંબંધો હતા. ઘણા લોકો કહે છે કે આ માત્ર દંતકથા છે. 20 વર્ષ દિલ્હી પર રાજ કરનારા ખિલજીએ 21 ઓક્ટોબર 1296ના રોજ દિલ્હીની ગાદી સંભાળી હતી.
ખિલજીના સંબંધોને લઈને મતભેદ વચ્ચે એક સત્ય એ છે કે તેને તેના કાકા અને સસરા જલાલુદ્દીન ફિરોઝ ખિલજીની હત્યા બાદ આ સિંહાસન છીનવ્યુ હતુ. આ રીતે અલાઉદ્દીન ખિલજી તેના વંશનો બીજો શાસક બન્યો હતો.
કહેવાય છે કે જ્યારે ખિલજીએ તેની પિતરાઈ બહેન સાથે લગ્ન કર્યા ત્યારે ખિલજીનો દરજ્જો વધ્યો અને તેણે ઘણી લડાઈઓ જીતી. કાકા તેમનાથી પ્રભાવિત થયા. જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે હતો ત્યારે એક ગુલામ બજારમાં પહોંચ્યો.
અહીં ખિલજીની નજર એક યુવક પર પડી, જેનું નામ હતું મલિક કાફુર હતું. અલાઉદ્દીન તેને મોટી કિંમતે ખરીદ્યો અને પોતાની સાથે લઈ ગયા. થોડા સમયમાં તે ખિલજી શાસનનો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો.
કહેવાય છે કે તે અલાઉદ્દીનની આસપાસ રહેતો અને ખૂબ જ દેખાવડો હતો. એવું માનવામાં આવતું હતું કે તેના અલાઉદ્દીન ખિલજી સાથે શારીરિક સંબંધ હતા. એવું પણ કહેવાય છે કાફુર ટ્રાન્સજેન્ડર હતો.
કહેવાય છે કે મલિક જે રીતે દિલ્હીમાં આવ્યા પછી ખિલજી રાજમાં પ્રગતિની સીડી ચઢીને સર્વોચ્ચ પદ જનરલ સુધી પહોંચ્યો તે ઘણાને પસંદ નહોતુ. તે ખિલજી માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો.
થોડા સમયમાં તેણે ઘણા યુદ્ધો જીતી લીધા. તે લૂંટ કરીને તિજોરી ભરતો રહ્યો. આનાથી ખિલજી ખુ જ પ્રભાવિત થયો. ઈતિહાસમાં કેટલાક એવા તથ્યો છે જે સવાલ ઉભા કરે છે કે આ બંને વચ્ચે શું સંબંધ હતો.
કાફુર એકમાત્ર પુરુષ હતો જે અલાઉદ્દીન ખિલજીના હેરમનો વડા હતો. તેના સિવાય કોઈ પણ પુરુષને હરમમાં જવાની પરવાનગી નહોતી. હરમમાં શાસકો મહિલાઓને પોતાના માટે બંધક બનાવી રાખતા હતા.
તેની સૂચના પર મહિલાઓને શાસક સમક્ષ રજૂ કરવામાં આવતી. અલાઉદ્દીન ખિલજીના હરમમાં 30 હજાર મહિલાઓ હતી, જેમાંથી મોટાભાગની મહિલાઓ એવી હતી કે જેમના પતિની ખિલજીએ હત્યા કરી હતી.
ખિલજીએ દક્ષિણ ભારતમાં સ્થિત કાતિકેય સામ્રાજ્ય પર હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે તેની કમાન કાફૂરને સોંપી દીધી. તેણે આ યુદ્ધ જીત્યું. રાજા રુદ્ર પ્રતાપે તેમની સમક્ષ આત્મસમર્પણ કર્યું. ત્યાંથી કાફુરે 6 હજાર બળદ ગાડામાં સોનું અને હીરા અને ઝવેરાત મોકલ્યા.
ત્રણસો હાથી અને સાત હજાર ઘોડા પણ આવ્યા. હવે કાફુરની મહત્વાકાંક્ષા વધી ગઈ અને તે અલાઉદ્દીનના જીવનો દુશ્મન બની ગયો. તેણે ધીમું ઝેર આપીને ખિલજીની હત્યા કરી દીધી. 6 જાન્યુઆરી 1316ના રોજ અલાઉદ્દીન ખિલજીનું મોત થયુ.
આ પછી કાફુરે ખિલજીના ત્રણ વર્ષના પુત્ર શિહાબુદ્દીન ઉબરને ગાદી પર બેસાડ્યો અને શાસન શરૂ કર્યુ. બે પુત્રોની આંખો બહાર કાઢી અને એક પુત્ર મુબારકને મારી નાખવાનો આદેશ આપ્યો. જો કે મુબારક ભાગી ગયો. કાફુરનું દિલ્હી પર શાસન કરવાનું સ્વપ્ન પૂરું થઈ શક્યું નહીં અને અલાઉદ્દીનના અન્ય વફાદાર દ્વારા તેની હત્યા કરવામાં આવી.
ઈતિહાસમાં એવું પણ લખ્યું છે કે તે જમાનામાં ગુલામ હોવાનો અર્થ નોકર ન હતો. તે જમાનામાં ખૂબ જ વિશ્વાસપાત્ર વ્યક્તિને ગુલામ કહેવાતો. સન્માનની નજરે જોવામાં આવતા. શાસકો આવા ગુલામોની મદદથી રાજ કરતા હતા. તે તેમની આંખો અને કાન બનતા. આ સ્થિતિમાં એ કહેવું ઘણું મુશ્કેલ છે કે અલાઉદ્દીન ખિલજી સમલૈંગિક હતો કે નહી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
