શું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ?
શું કરોનાવાયરસથી સાજા થયા બાદ કસરત કરવી જોઈએ?
કોરોનાવાયરસની બીજી લહેરે વિશ્વના મોટાભાગના દેશને પરેશાન કર્યા છે, તેમાં પણ ખાસ કરીને ભારતીયો ખાસ પ્રભાવિત થયા છે. કોરોનાનો પગપેસારો થયાના 1 વર્ષ બાદ પણ હજી કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે, જે વ્યક્તિઓ પર ખરાબ અસર પાડી શકે છે. જેમ કે કોરોનાથી રિકવરી બાદ ખાણીપીણી, કસરત વગેરે બાબતે લોકોમાં ગેરસમજણ હોય તેવું જણાઈ રહ્યું છે. કોરોનાવાયરસથી સાજા થયા બાદ તરત કસરત ન કરવાની નિષ્ણાંતો સલાહ આપે છે. આવું કેમ? આવો વિસ્તૃત સમજીએ.

3 મહિના ભારે કસરત કરવી નહી
નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાવાયરસથી સાજા થયા બાદ ખાસ સાવચેતી રાખવી પડે છે. તંદુરસ્ત આહાર લેવો ખુબ જરૂરી છે અને સાજા થતાંની સાથે જ એક્સરસાઈઝ શરૂ ન કરી દેવી જોઈએ. AIIMS- દિલ્હીના ડૉ. સંદીપ મિશ્રાએ કહ્યું કે, "જો કોવિડનું સંક્રમણ વધુ થયું હોય તો, બહુ વધુ એક્સરસાઈજ ન કરો અથવા જિમ વગેરે ન જાઓ. ઓછામા ઓછા 3 મહિના સુધી તો બિલકુલ નહી. જેમ કહેવાઈ રહ્યું છે કે કોરોનાવાયરસ તો ખતમ થઈ ગયો હોય છે પરંતુ તેનાથી શરીર પર જે પ્રભાવ પડે છે, તેનાથી રિકવર થવામાં સમય લાગે છે. કેટલાય લોકો તરત હેવી એક્સરાઈઝ કરવા લાગે છે, જેના કારણે અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે જેમ કે લાહીની ગાંઠ (Blood Clotting), હાર્ટ અટેક જેવી સમસ્યાઓ જોવા મળે છે. હવે સવાલ ઉઠે છે કે શું દિવસભર ઊંઘતા રહેવું જોઈએ? ના, થોડો-ઘણો હળવો વ્યાયામ કરો, 6 મિનિટ ચાલો, પ્રાણાયમ કરી શકો છો. જેનાથી વધુ થાક નથી લાગતો. શરૂઆતમાં આ પ્રક્રિયા ઓછી કરો અને પછી ધીરે ધીરે સમય વધારો."

ખાસ ધ્યાન રાખવું જરૂરી
સરોજની નાયડૂ મેડિકલ કોલેજના કોવિડ વોર્ડના પ્રભારી ડૉ. પ્રશાંત ગુપ્તાએ જણાવ્યું કે કોરોના આ વખતે પોસ્ટ કોવિડ ઈફેક્ટ ઘણી ગંભીર છોડી રહ્યો છે. માટે ડિસ્ચાર્જ થયાના ઓછામા ઓછા એક મહિના સુધી એલર્ટ રહેવાની જરૂરત છે. તેમણે કહ્યુ્ં કે ઘરે રહેતી વખતે પણ ફિજિશિયનના સંપર્કમાં રહેવાની જરૂરત છે. કોઈપણ લક્ષણ જણાય તો ફિજિશિયનને જણાવો, ફિજિશિયન જે ટેસ્ટ કહે તે કરાવો અને દવાઓ પણ ખાઓ. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાની ડાયાબિટીઝ સતત મોનિટર કરવી.

કેવો ખોરાક લેવો જોઈએ?
કોરોનાવાયરસ સંક્રમણ દરમિયાન અથવા સાજા થયા બાદ આસાનીથી પચી શકે તેવો ખોરાક લેવો. ઘરે જ બનેલ ભોજન લેવો. દરરોજ સવારે ખજૂર, કિશમિશ, બદામ અને અખરોટ જરૂર ખાવાં. તમારા શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી ખુબ પીવું જોઈએ. આ સમયે તમારે ઠંડી અને ગળામાં ખરાશ પેદા કરતી ચીજોથી સાવધાન રહેવું જોઈએ. વધુ પડતા તેલ મસાલા અથવા જંક ફૂડ બિલકુલ ન ખાવાં. દિવસમાં એકવાર નારિયેળ પાણી પણ પીઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
