Chanakya Niti : આવા પતિને દિલથી નફરત કરે છે પત્ની, જાણો અને સુધરી જાવ
આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે, પતિનું આચરણ કેવું હોવું જોઈએ. પત્નીની નજરમાં તે પોતાને કેવી રીતે સાબિત કરી શકે. બીજી તરફ જો પતિમાં કોઈ ખામી હોય, તો તેની પત્નીને ઈર્ષ્યા થવા લાગે છે.
Chanakya Niti : આચાર્ય ચાણક્યની ગણતરી ભારતના મહાન કુટનીતિજ્ઞમાં થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા પોતાના નીતિ શાસ્ત્રમાં માનવ જીવન બાબતે ઘણી વાતો જણાવવામાં આવી છે. ચાણક્ય નીતિનું આચરણ કરીને ઘણા લોકોએ જીવનમાં સફળતા મેળવી છે. ચાણક્ય નીતિમાં સ્ત્રી-પુરૂષો સંબંધ, પતિ-પત્નીનું આચરણ અંગે જાણકારી આપવામાં આવી છે.
પતિનું આચરણ કેવું હોવું જોઈએ?
આચાર્ય ચાણક્યએ જણાવ્યું છે કે, પતિનું આચરણ કેવું હોવું જોઈએ. પત્નીની નજરમાં તે પોતાને કેવી રીતે સાબિત કરી શકે. બીજીતરફ જો પતિમાં કોઈ ખામી હોય, તો તેની પત્નીને ઈર્ષ્યા થવા લાગે છે.
ચરિત્રહિન પતિ
ચાણક્ય નીતિ અનુસાર જો પુરુષનું ચારિત્ર્ય ખરાબ હોય. જો તે તેની પત્ની સિવાય અન્ય મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધોધરાવે છે, તો કોઈપણ સ્ત્રીને આવા પતિ પસંદ નથી. તેની જ પત્ની તેની દુશ્મન બની જાય છે.
અસત્ય બોલનારો પતિ
દરેક પત્ની ઈચ્છે છે કે, તેનો પતિ દાંપત્ય જીવનમાં ઈમાનદાર રહે. તેને બધું સત્ય કહે. અસત્યનો સહારો ક્યારેય ન લેવો. બીજીતરફ જો પતિ પોતાની પત્ની સાથે વારંવાર ખોટું બોલે છે, તો આવા સમયે તેની પત્ની પોતાના પતિને નફરત કરવા લાગે છે. તેપતિને પોતાનો સૌથી મોટો દુશ્મન માનવા લાગે છે.
વાતો જાહેર કરતો પતિ
ચાણક્ય નીતિ અનુસાર, સ્ત્રીઓ તેમના પતિને દરેક વાત જણાવવાનું પસંદ કરે છે. બીજી તરફ જો પતિ પોતાની દરેક વાત કે,કોઈ પણ રહસ્ય બીજાની સામે બોલે, તો મહિલાઓને આવા પતિ બિલકુલ પસંદ આવતા નથી.
ખરાબ વ્યસનવાળો પતિ
આચાર્ય ચાણક્ય અનુસાર, જો પતિને કોઈ ખરાબ વ્યસન હોય. દાખલા તરીકે જો તે માદક દ્રવ્યોનું સેવન કરે છે, દારૂ પીવે છેઅથવા જુગાર રમવાની લત ધરાવે છે, તો આવા પતિઓ તેમની પત્નીઓને બિલકુલ પસંદ નથી કરતા. પત્ની માટે આવા લગ્નએક બોજ સમાન લાગવા લાગે છે.