For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : દરેક કામમાં મળે છે નિષ્ફળતા તો કરી લો આ 4 કામ, થઇ જશો સફળ

દુનિયાના મહાન કુટનિતિજ્ઞમાંથી એક એવા આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક પણ હતા. જેમણે પોતાની નીતિના આધારે સિકંદરને પણ માત આપી હતી. આચાર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા બનવામાં ઘણી મદદ કરી હતી.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : દુનિયાના મહાન કુટનિતિજ્ઞમાંથી એક એવા આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક પણ હતા. જેમણે પોતાની નીતિના આધારે સિકંદરને પણ માત આપી હતી. આચાર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને રાજા બનવામાં ઘણી મદદ કરી હતી. તેમનું નીતિ શાસ્ત્ર ચાણક્ય નીતિથી જગપ્રસિદ્ધ છે. જેમાં સુખીસ સમૃદ્ધ અને સફળ જીવન કેવી રીતે જીવવું તેની ચાવી આપવામાં આવી છે. આ નીતિ પોતાના જીવનમાં અપનાવવાથી સફળતા ચોક્કસથી મળે છે.

Chanakya Niti

સફળતા માટે સિંહ પાસેથી શીખો આ બાબતો

ચાણક્ય નીતિમાં, જંગલના રાજા સિંહની કેટલીક વિશેષતાઓ જણાવતી વખતે આ વસ્તુઓને તમારા જીવનમાં લાવવાની સલાહ આપવામાં આવી છે.

પ્રભુતમકાર્યમલપવન્તનારઃ કર્તુમિચ્છતિ ।
સર્વારંભેનતત્કાર્યમ્ સિંહદેકમપ્રકાક્ષતે

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિના છઠ્ઠા અધ્યાયના 16મા શ્લોકમાં સફળતાનો મૂળ મંત્ર જણાવ્યો છે. જેમાં આચાર્ય ચાણક્યએ સિંહનું ઉદાહરણ આપતા જણાવ્યું છે કે, જે રીતે સિંહ પોતાનો શિકાર મેળવવા માટે સંપૂર્ણ એકાગ્રતાથી પ્રયાસ કરે છે, તેવી જ રીતે વ્યક્તિએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાથી પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સાથે સિંહની કેટલીક આવી બાબતોને પોતાના જીવનમાં પણ અપનાવવી જોઈએ.

સિંહની જેમ હંમેશા તમારા નિશાન પર નજર રાખો. કારણ કે, ધ્યાન ભટકાશે તો તક હાથમાંથી નીકળી જશે. આ સાથે તમે સફળ થવાનું ચૂકી જશો. તેથી તમારું ધ્યાન ભટકવા ન દો અને હંમેશા ફોકસ્ડ રહો.

જે રીતે સિંહ તેના શિકાર પર ત્રાટકવા માટે તેની તમામ શક્તિ લગાવે છે, તેવી જ રીતે, તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી બધી શક્તિ લગાવો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો.

સફળતા મેળવવાના રસ્તામાં ચાલતા સમયે ખૂબ ધીમા ન થાઓ. આળસુ ન બનો. સિંહ તેના શિકારને ભાગવાની કોઈ તક આપતો નથી, તેથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં કોઇપ્રકારનો વિલંબ કરવો ન જોઈએ.

હંમેશા તમારા પર વિશ્વાસ રાખો. તમારો આત્મવિશ્વાસ ઘટવા ન દો. જેમ સિંહને પોતાના પર હંમેશા ભરોસો રહે છે કે, તે કોઈપણ સંજોગોમાં તેનો શિકાર શોધી લેશે.

English summary
Chanakya Niti : In every work there is failure, then do these 4 things, you will be successful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X