Chanakya Niti : પત્નીએ આ બાબતે ક્યારેય ન રાખવી જોઇએ શરમ, નહીંતર બરબાદ થઇ જશે લગ્નજીવન
Chanakya Niti : આચાર્ય ચાણક્યએ પતિ-પત્નીના સંબંધોને લઈને કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. આ બાબતોનું પાલન કરવાથી પારિવારિક અને દાંપત્યજીવનમાં ઘણો ફાયદો થાય છે.
Chanakya Niti : પતિ-પત્નીનો સંબંધ ઘણો મહત્વપૂર્ણ હોય છે. આ સંબંધોનો પાયો ભરોસા અને પ્રેમ પર ટકેલો હોય છે. આચાર્ય ચાણક્યે રાજનીતિ, અર્થશાસ્ત્ર, રાજનીતિ જેવા મુદ્દા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આજે આપણે ચાણક્ય નીતિમાં જણાવેલી ઘણી એવી વાતો છે, જે પતી-પત્ની સાથે જોડાયેલી ઘણી વાતો જણાવવામાં આવી છે. ચાણક્ય નીતિ અનુસાર, અમુક બાબતે પત્નીએ ક્યારેય શરમાવવું જોઇએ નહીં.
સુખી લગ્નજીવન માટે પતિ-પત્નીએ જાણી લેવી જોઈએ આ બાબતો
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે, પત્નીની દરેક જરૂરિયાત અને તેની સુરક્ષા પર સંપૂર્ણ ધ્યાન આપવાની જવાબદારી પતિની છે. પત્નીની પીડા અને લાગણીઓને સમજો.
બીજી તરફ પત્નીએ પોતાના પતિને સારા અને ખરાબ સમયમાં સાથ આપવો જરૂરી છે. જો પતિ-પત્ની પોતપોતાની ફરજો નિભાવતા નથી, તો દાંપત્ય જીવન સુખી નથી. આ ઉપરાંત જો આ ભાગીદારોમાંથી કોઈ એક આ ફરજ બજાવતો નથી, તો અન્ય ભાગીદાર તેની પાસેથી તે જ માંગ કરી શકે છે, તેને આમ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
પત્નીનું કર્તવ્ય છે કે, પતિ નિરાશ કે નારાજ હોયઅને જો તેને પત્ની પાસેથી પ્રેમના સમર્થનની અપેક્ષા હોય, તો પત્નીએ તેની માંગ કોઈપણ સંકોચ વગર પૂરી કરવી જોઈએ. પત્નીએ ખચકાટ વગર તેના પતિ પર પ્રેમ વરસાવવો જોઈએ. તેમણે આ મામલે ક્યારેય શરમાવું જોઈએ નહીં. નહીંતર પતિ બહાર પ્રેમ શોધવાનું શરૂ કરશે. આ ઘટના તેમના સુસ્થાપિત ઘરને બરબાદ કરી શકે છે.
બીજી તરફ જો પત્નીને કોઈ વસ્તુની જરૂર હોય, તો તેના પતિએ તેની માંગ કરવી જોઈએ. તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે, પત્નીએ પતિ પાસેથી માંગ કરવામાં શરમાવી જોઈએ નહીં.