Ganesh Chaturthi 2023 : કેવી રીતે શરૂ થઇ ગણેશ ચતુર્થી ઉજવવાની પરંપરા?
Ganesh Chaturthi 2023 : ગણેશ ચતુર્થી સંપૂર્ણ રીતે હિન્દુ ધર્મનો તહેવાર છે, જેને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં મૂર્તિ લાવે છે, તેની પૂજા-અર્ચના કરે છે અને દસ દિવસ બાદ તેનું વિસર્જન કરે છે.
શું તમે ક્યારેય નોંધ્યું છે કે, ગણેશ ચતુર્થી મહારાષ્ટ્ર, ગોવા અને તેલંગાણા જેવા શહેરોમાં વધુ લોકપ્રિય છે. અહીં ભગવાન ગણેશના મોટા પંડાલ લગાવવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિનું ભવ્ય સ્વાગત સાથે દરેક ઘરમાં લાવવામાં આવે છે. સમગ્ર મુંબઈ શહેર ગણેશ ચતુર્થીના ઉત્સાહમાં વ્યસ્ત રહે છે.

ગણેશ ચતુર્થીના તહેવારને મુંબઈ અને પૂણેમાં સામાજિક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તેને ગણેશ ઉત્સવ પણ કહેવામાં આવે છે, કારણ કે, આ દિવસે ભગવાન ગણેશનો જન્મ તહેવારની જેમ ઉજવવામાં આવે છે અને ગણેશને ગણપતિ બાપા કહેવામાં આવે છે.
આ 11 દિવસ સુધી ચાલતો તહેવાર છે, જેમાં દરેક લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરે લાવે છે અને પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કરે છે.
સમગ્ર દેશમાં ઉજવવામાં આવતાં ઉપરાંત મુંબઈ અને પૂણેમાં આ તહેવારની ગ્લેમર અલગ છે. મોટા પંડાલો, ભવ્ય આરતી અને ભગવાન ગણેશની ભવ્ય શણગાર તેનો એક ભાગ બને છે.
પેશવા યુગમાં, મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં, ગણપતિ બાપાની મહારાષ્ટ્રના દરેક ગામમાં અને દરેક ઘરમાં પૂજા કરવામાં આવતી હતી કારણ કે ગણેશ જી પેશ્વાના પારિવારિક દેવતા હતા.
સમય જતાં જેમ જેમ તેમનું સામ્રાજ્ય ઘટતું ગયું, તેમ તેમ ગણપતિ ઉત્સવમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ તે પછી આઝાદી માટે લડનારા લોકમાન્ય ટિળકે આ તહેવારને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
હાલના ગણેશ ઉત્સવની શરૂઆત 1892માં થઈ હતી, જ્યારે પૂણેના રહેવાસી કૃષ્ણજી પંતે મરાઠા શાસિત ગ્વાલિયરની મુલાકાત લીધી હતી, ત્યાં તેમણે પરંપરાગત ગણેશ ઉત્સવના સાક્ષી બન્યા અને પૂણે પાછા ફર્યા પછી, આ વાતનો ઉલ્લેખ તેમના મિત્રો બાળાસાહેબ નટુ અને ભાઈ સાહેબ લક્ષ્મણ જવાલેને કર્યો, જેને ભાઈ રંગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે બાદ ભાઈ સાહેબ જાવલેએ પ્રથમ ગણેશ મૂર્તિની સ્થાપના કરી.
લોકમાન્ય ટિળકે 1893માં તેમના અખબાર કેસરીમાં જાવલેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને તેમની ઓફિસમાં ભગવાન ગણેશની એક મોટી પ્રતિમા સ્થાપિત કરી હતી. તેમના પ્રયાસોથી જ આ પરંપરાગત ઉત્સવ ભવ્ય રીતે સુશોભિત સામાજિક ઉત્સવ બન્યો હતો.
તિલક એ સૌપ્રથમ ભગવાન ગણેશની સામાજિક ચિત્ર અને મૂર્તિને જાહેરમાં પ્રદર્શિત કરી હતી અને દસમા દિવસે તેને નદીઓમાં વિસર્જન કરવાની પરંપરા બનાવી હતી. જે પછી મોટા ગણેશ ઉત્સવો ભવ્ય મેદાનો અને પંડાલોમાં થવા લાગ્યા, જેમાં દરેક જાતિ અને ધર્મના લોકો સામેલ હતા, જેણે તમામ ભારતીયોમાં એકતા લાવી હતી. કારણ કે, એક જગ્યાએ આ રીતે ભેગા થવા પર અંગ્રેજો દ્વારા પ્રતિબંધ હતો. ગણેશ ઉત્સવની સામે આ પ્રતિબંધો કામ કરતા નથી.
તિલક ભગવાન ગણેશને 'સર્વના ભગવાન' તરીકે ઓળખાવે છે અને ગણેશ ચતુર્થીને ભારતીય તહેવાર તરીકે જાહેર કરે છે.












Click it and Unblock the Notifications
