Hindu in bangladesh : બાંગ્લાદેશ બન્યુ ત્યારે કેટલા હિન્દુ હતા? જાણો આજનો આંકડો
Hindu in bangladesh : બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ સતત હિંસા જોવા મળી રહી છે. આ હિંસામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં સતત હિંસા વચ્ચે હિન્દુઓ વિરૂદ્ધના નિવેદનોએ બન્ને દેશો વચ્ચેના સંબંધ બગાડ્યા છે. આની અસર ત્યાં વસતા હિન્દુઓ પર થઈ રહી છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાનથી અલગ થયા બાદથી બાંગ્લાદેશમાં સતત હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. તે સમય અને આજના આંકડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે.
બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી સતત મોટો ઘટાડો નોંધાયો છે. 1947માં આ પૂર્વ પાકિસ્તાનમાં 25 ટકા હિંદુઓ હતા અને આજે આ સંખ્યા ઘટીને માત્ર 9 ટકા આસપાસ આવી ગઈ છે.
અહીં તમને સવાલ થાય કે શું હિન્દુઓએ ધર્મપરિવર્તન કર્યું? તે ભારત આવી ગયા કે હત્યા કરવામાં આવી? બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાએ ફરી એકવાર આ પ્રશ્નો છેડ્યા છે.
જણાવી દઈએ કે, ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી છે. ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશ સબ-હાઈ કમિશનની ઈમારતમાં તોડફોડની ઘટના સામે આવી છે. આ અંગે બાંગ્લાદેશે આકરી પ્રતિક્રિયા આપી. જે બાદ ભારતે આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે.












Click it and Unblock the Notifications
