કોઈ સિટિંગ જજને કેવી રીતે પદ પરથી હટાવી શકાય? જાણો મહાભિયોગની પ્રક્રિયા
હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર યાદવ તેના વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં છે. બંધારણ વિરોધી વર્તન અને નિવેદન માટે તેમની દેશભરમાં ટીકા થઈ રહી છે.
કટ્ટકપંથી હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં તેમના વાણી વિલાસ બાદ લોકો પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યાં છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી કાર્યવાહીની માંગ કરાઈ છે.

અહેવાલો એવા પણ છે કે આ બંધારણની મર્યાદા વિરૂદ્ધ વાણી વિલાસ કરનારા જજને હટાવવા વિપક્ષોએ મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરવાની તૈયારી કરી છે.
કેવી રીતે થાય છે મહાભિયોગ પ્રક્રિયા?
ભારતીય બંધારણની કલમ 124(4) અનુસાર, સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ સામે મહાભિયોગ શરૂ કરી શકાય છે. આ જોગવાઈઓ હાઈકોર્ટના જજને પણ લાગુ પડે છે.
ભારતીય બંધારણની કલમ 124 (4) મુજબ, ગેરવર્તણૂક અને અસમર્થતા એટલે કે સાબિત ગેરવર્તણૂક અને અસમર્થતા હોય તો સંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયા હેઠળ ન્યાયાધીશને દૂર કરી શકાય છે.
આ પછી સંસદના બંને ગૃહોમાં ચર્ચા થાય છે. જેમાં જજને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા બહુમતી જરૂરી છે અને નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવે છે. તેના પર અંતિમ મહોર ભારતના રાષ્ટ્રપતિ લગાવે છે.
સંસદમાં મહાભિયોગ દરખાસ્ત પછી તપાસ સમિતિ તેનો અહેવાલ પૂર્ણ કરે છે અને તેને લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરે છે. આ પછી બંને ગૃહોમાં અહેવાલ પર ચર્ચા થાય છે.
જો તપાસ અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપો સાચા ન જણાય તો ત્યાં જ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવે છે. ત્યારબાદ બંને ગૃહોએ રાષ્ટ્રપતિને આરોપી જજને હટાવવાની ભલામણ કરે છે.












Click it and Unblock the Notifications
