કોઈ સિટિંગ જજને કેવી રીતે પદ પરથી હટાવી શકાય? જાણો મહાભિયોગની પ્રક્રિયા
હાલમાં જ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર યાદવ તેના વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચામાં છે. બંધારણ વિરોધી વર્તન અને નિવેદન માટે તેમની દેશભરમાં ટીકા થઈ રહી છે.
કટ્ટકપંથી હિન્દુ સંગઠનના એક કાર્યક્રમમાં તેમના વાણી વિલાસ બાદ લોકો પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યાં છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી કાર્યવાહીની માંગ કરાઈ છે.

અહેવાલો એવા પણ છે કે આ બંધારણની મર્યાદા વિરૂદ્ધ વાણી વિલાસ કરનારા જજને હટાવવા વિપક્ષોએ મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરવાની તૈયારી કરી છે.
કેવી રીતે થાય છે મહાભિયોગ પ્રક્રિયા?
ભારતીય બંધારણની કલમ 124(4) અનુસાર, સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયાધીશ સામે મહાભિયોગ શરૂ કરી શકાય છે. આ જોગવાઈઓ હાઈકોર્ટના જજને પણ લાગુ પડે છે.
ભારતીય બંધારણની કલમ 124 (4) મુજબ, ગેરવર્તણૂક અને અસમર્થતા એટલે કે સાબિત ગેરવર્તણૂક અને અસમર્થતા હોય તો સંસદ દ્વારા મહાભિયોગ પ્રક્રિયા હેઠળ ન્યાયાધીશને દૂર કરી શકાય છે.
આ પછી સંસદના બંને ગૃહોમાં ચર્ચા થાય છે. જેમાં જજને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા બહુમતી જરૂરી છે અને નિર્ણય સંસદ દ્વારા લેવામાં આવે છે. તેના પર અંતિમ મહોર ભારતના રાષ્ટ્રપતિ લગાવે છે.
સંસદમાં મહાભિયોગ દરખાસ્ત પછી તપાસ સમિતિ તેનો અહેવાલ પૂર્ણ કરે છે અને તેને લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને સુપરત કરે છે. આ પછી બંને ગૃહોમાં અહેવાલ પર ચર્ચા થાય છે.
જો તપાસ અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપો સાચા ન જણાય તો ત્યાં જ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવે છે. ત્યારબાદ બંને ગૃહોએ રાષ્ટ્રપતિને આરોપી જજને હટાવવાની ભલામણ કરે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
