પૃથ્વી ફરે છે તો આપણે કેમ પડી નથી જતા? મોટાભાગના લોકોને આ વાતનો જવાબ ખબર નથી
વિજ્ઞાનમાં પૃથ્વીને તેની ધરી પર ફરતી જણાવાઈ છે. પૃથ્વી પોતાની ધરી સાથે સાથે સુરજની પ્રદક્ષિણા પણ કરે છે. આ સ્થિતીમાં સવાલ એ કે આમ છત્તા પણ આપણે ઊભા કેમ રહીએ છીએ? પડી કેમ નથી જતા?
આ સવાલ જેટલો આસાન છે એટલો જ જવાબ અધરો છે. આ સવાલનો જવાબ શાળાએ જતી વખતે તમને જરૂર મળ્યો હશે પરંતુ બની શકે કે તમને હવે તે ખબર ન હોય. તો આજે અમે તમને જણાવીશુ.

આ આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારે ભૌતિકશાસ્ત્ર સમજવું પડે. લોકોના આ સવાલનો જવાબ વિજ્ઞાનના પુસ્તકોમાં આસાનીથી મળી જાય છે. બાળપણમાં શીખવવામાં આવેલ સ્થિરતાનો નિયમ અહીં પણ લાગુ પડે છે.
આપણી પૃથ્વી તેની ધરી પર 24 કલાક ફરે છે. પૃથ્વીની ગતિ 1600 કિલોમીટર પ્રતિ કલાક છે. દિવસ અને રાત માત્ર એક ક્રાંતિમાં થાય છે. આપણે તેને અનુભવી શકતા નથી, કારણ કે આપણે પણ પૃથ્વીની સાથે સમાન ગતિએ ફરતા હોઈએ છીએ. પર્યાવરણ અને આપણી આસપાસની દરેક વસ્તુ ફરે છે અને આપણું શરીર આ ગતિથી ટેવાઈ જાય છે.
પૃથ્વીની ગતિ અચળ હોવાથી એટલે કે તે એક જ ઝડપે ફરે છે તેથી આપણે તેને અનુભવી શકતા નથી. જો તે ક્યાંક તેની ઝડપ વધે કે ઘટાડે અથવા પૃથ્વી ક્યાંક અટકી જાય તો આપણને જોરદાર આંચકો લાગશે.
આપણે 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફ્લાઇટમાં જઈએ અને આપણને ખ્યાલ નથી આવતો પરંતુ જ્યારે તે નીચે આવીને અટકી જાય છે ત્યારે આપણને આંચકો લાગે છે. મુસાફરી દરમિયાન પણ શરીરનો નીચેનો ભાગ સ્થિર થઈ જાય છે પરંતુ ઉપરના ભાગને તીવ્ર આંચકો લાગે છે.












Click it and Unblock the Notifications
