International HR Day 2021: કોરોના કાળમાં નવા પડકારો સામે ઝઝૂમતા HR, કંપનીઓ માટે નિભાવે છે મહત્વની જવાબદારી
કંપની માટે એચઆરના કાર્યની જરૂરિયાતને જોતા તેમના સમ્માનમાં 20 મેના રોજ એચઆર દિવસ મનાવવામાં આવે છે.
નવી દિલ્લીઃ કોઈ પણ કંપની માટે સૌથી જરૂરી કામ હોય છે સારા કર્મચારીઓને પસંદ કરવા જેથી તે કંપનીઓને સારુ કામ કરીને આપી શકે અને આ જવાબદારીને નિભાવે છે કંપનીના માનવ સંશાધન(એચઆર) મેનેજર. કંપની માટે તેમના કાર્યની જરૂરિયાતને જોતા તેમના સમ્માનમાં 20 મેના રોજ એચઆર દિવસ મનાવવામાં આવે છે. ગયુ અને ચાલુ વર્ષ કોરોના વાયરસના કારણે એચઆર માટે બહુ મુશ્કેલ સાબિત થયુ છે અને તેમને સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

પીપલ અને કલ્ચર, ટાઈડ(ઈન્ડિયા)ના પ્રમુખ રવિ મૈથાની કહે છે કે કોરોના વાયરસે એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે હવે કર્મચારીઓ પાસે કેવી રીતે કામ લેવામાં આવે. હવે અમે કર્મચારીઓ માટે નવી રીતે વિચારવા મજબૂર છે જેમ કે કંપનીમાં કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવી, તેમના માનસિક આરોગ્ય વિશે વિચારવુ અને કર્મચારી સાથે સાથે તેના પરિવારના આરોગ્ય વીમા પર વધુ ખર્ચ કરવો વગેરે. મહામારી દરમિયાન કર્મચારીઓએ સંકટ સામે લડવા માટે એચઆરની મદદ માંગી. વ્યવસાયી અને વ્યક્તિગતની સીમાઓ આ મહામારીમાં ખતમ થઈ ગઈ. મહામારીના સમયમાં કર્મચારી અને એચઆર વચ્ચે વિશ્વાસ એક મહત્વપૂર્ણ કારક તરીકે વિકસિત થયો.
હાલમાં વર્ક ફ્રોમ હોમ ચલણમાં આવ્યુ છે એવામાં કામ અને જિંદગી વચ્ચે સંતુલન જળવાઈ રહે તેના માટે અમે કઠોર મહેનત કરી રહ્યા છે. અવલી સૉલ્યુશન્સના સંસ્થાપક અને નિર્દેશક શ્રીવિદ્યા કન્નન કહે છે કે એક સંગઠન પોતાના લોકોની જેમ જ અસાધારણ છે અને તેને આવુ બનાવવામાં એચઆર મુખ્ય ભૂમિકા અદા કરે છે. તે આગળ કહે છે કે કોરોના મહામારીના સમયમાં એચઆરનુ કામ વધુ પડકારરૂપ થઈ ગયુ છે અને ભવિષ્યમાં પણ માનવ સંશાધન કર્મીઓની ભૂમિકા કોઈ પણ કંપની માટે મહત્વપૂર્ણ રહેશે કારણકે તે કોઈ પણ કંપની માટે બહુમુખી પ્રતિભાને ઓળખે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
