કડવા ચોથ 2019: શું કુંવારી છોકરીઓ રાખી શકે આ વ્રત?
કુંવારી છોકરીઓ પણ હવે કડવા ચોથનુ વ્રત રાખી રહી છે. આવો જાણીએ કે પરિણીત છોકરીઓ દ્વારા આ વ્રત રાખી શકાય કે નહિ.
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મનાવાતુ કડવા ચોથનુ વ્રત પરિણીત મહિલાઓ માટે ખૂબ વિશેષ હોય છે. સમાજમાં પતિ અને પત્નીના સંબંધને સૌથી મોટો અને પવિત્ર માનવામાં આવે ચે. આ સંબંધની મજબૂતી માટે કડવા ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. આમ તો આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને વિકાસ માટે રાખે છે પરંતુ અત્યારે તો કુંવારી છોકરીઓ પણ આ વ્રત રાખી રહી છે. આવો જાણીએ કે પરિણીત છોકરીઓ દ્વારા આ વ્રત રાખી શકાય કે નહિ.

પતિ માટે રાખવામાં આવે છે આ વ્રત
આ વર્ષે કડવા ચોથ 17 ઓક્ટોબરના રોજ આવી રહ્યુ છે. આ વ્રતની શરૂઆત સૂર્યોદય પહેલા જ થઈ જાય છે અને સાંજે ચંદ્રોદય બાદ પૂજા કરીને જ ઉપવાસ ખોલવામાં આવે છે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ નિર્જળા રહે છે. આમાં ના તો અન્નનો એક દાણો ગ્રહણ કરવામાં આવે છે અને ના પાણીનુ એક ટીપુ. મહિલાઓ સાચા મનથી પોતાના દીર્ઘાયુષ્યની કામના કરે છે. તેમની નોકરી અથવા વેપારની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગે છે.

કુંવારી છોકરીઓ રાખી રહી છે કડવા ચોથનુ વ્રત
હવે માત્ર પરિણીત મહિલાઓ જ નહિ પરંતુ કુંવારી છોકરીઓ પણ આ વ્રત રાખવા લાગી છે. જાણકારોની માનીએ તો અપરિણીત છોકરીઓ પણ આ વ્રત રાખી શકે છે. કડવા ચોથનુ વ્રત કરવાથી કોઈ નુકશાન ન થાય. વાસ્તવમાં ઘણી છોકરીઓ પોતાના ફિયાન્સ કે પછી પોતાના પ્રેમી માટે આ વ્રત રાખે છે. જો કોઈ છોકરી કોઈની સાથે સંબંધમાં ન જોડાઈ હોય તો તે પણ કડવા ચોથનુ વ્રત રાખી શકે છે અને આ દરમિયાન પોતાના ભાવિ પતિ માટે કડવા માતાના આશીર્વાદ માંગી શકે છે.

કુંવારી છોકરીઓ નથી રાખતી નિર્જળા વ્રત
આમ તો પરિણીત મહિલાઓ આ વ્રત માટે જે નિયમોનુ પાલન કરે છે, તે જ નિયમ અપરિણીત છોકરીઓએ પણ માનવા જોઈએ. બસ પૂજા દરમિયાન અમુક નિયમોમાં ફેરફાર આવી જાય છે. જો તમે પોતાના ફિયાન્સ કે પ્રેમી માટે આ વ્રત ન કરતા હોય તો તમારે નિર્જળા વ્રત રાખવાની જરૂર નથી. તમે બસ નિરાહાર વ્રત રાખી શકો છો. કુંવારી કન્યાઓને આ વ્રતમાં માત્ર ચંદ્રની જ પૂજા નહિ પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના પણ આશીર્વાદ લેવા જોઈએ. આનાથી ભવિષ્યમાં તમારુ વૈવાહિક જીવન ખુશમય રહેશે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું












Click it and Unblock the Notifications
