...ને ગુજરાતનાં આ શહેરને મળ્યો ભારતના પેરિસનો ખિતાબ
1540માં જામ રાવલે જામનગર શહેરને નવાનગર રિયાસતની રાજધાનીના રૂપમાં સ્થાપિત કર્યું. આ શહેર રણમલ ઝીલની આસપાસ વસેલું છે, તથા રંગમતી અને નાગમતી નદીઓના સંગમ પર સ્થિત છે. બાદમાં વર્ષ 1920માં મહારાજા કુમાર રણજીત સિંહ પાસે આ શહેરના નવીનીકરણ કર્યુ અને પછી આ જામનગરને ‘જામોનું શહેર'ના નામથી ઓળખવામાં આવ્યું. જામ શબ્દનો અર્થ થાય છે રાજા અને આ ક્ષેત્ર પર જાડેજા રાજપૂત શાસકોનું શાસન હતું, જે કૃષ્ણ યાદવ વંશના વંશધર માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણએ દ્વારકામાં પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે મથૂરાથી યાદવોને અહીં પુનર્થાપિત કર્યા, જે જામનગર જિલ્લા અંતર્ગત છે.
જામ રાવલના પિતા જામ લકાજીને બહાદૂરશાહે 12 ગામોથી સમ્માનિત કર્યા. બાદમાં જામ રાવલ કાઠિયાવાડ ચાલ્યા ગયા અને નવાનગર(નવુ શહેર) નામક શહેરની સ્થાપના કરી. 1852માં જામ વિભાજીએ શાસનને આધીન, આ શહેરની શાળાઓ, હોસ્પિટલની સ્થાપના અને રાજકોટમાં બનેલી રેલવે લાઇનના કારણે ઘણી ઉન્નતિ કરી.
જામનગરના મહારાજા કુમાર રણજીત સિંહજી એક વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટ શખ્સિયત હતા. તેમણે જામનગરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે આ શહેર પર 1907થી 1933 સુધી શાસન કર્યું અને 1914માં, સર એડવર્ડ લુતનિસ નામક વાસ્તુકારની મદદથી આ શહેરનું ફરીથી નિર્માણ કર્યું.
તેઓ યુરોપિયન વાસ્તુકળાથી ઘણા પ્રભાવિત હતા અને તેમણે યુરોપિય શૈલી અનુસાર આ શહેરને બનાવ્યું. દિવાલોથી ભરેલું આ શહેર વધું પહોળું થઇ ગયું અને મોટાભાગના ઘર માનકીકૃત વાસ્તુકળા શૈલીમાં બનાવવામાં આવ્યા, જે શહેરને એક સમાન રૂપ પ્રદાન કરે છે. જામનગર શહેરને ભારતના પેરિસનો ખિતાબ મળ્યો. વિલિંગડ્ન ક્રીસેંટ, પ્રતાપ વિલાસ મહેલ, સોલેરિયમ જેવા અનેક મહત્વપૂર્ણ સ્થળ આ સંરક્ષણ હેઠળ આવે છે. તેમના કાળ દરમિયાન બેડી બંદરનું નિર્માણ થયું અને રેલવે લાઇન પણ વિકસિત કરવામાં આવી.
ઘણા
સમય
પહેલા
જામનગર
માછલી
પકડવા
માટે
એક
નાના
મોતીના
રૂપમાં
પ્રસિદ્ધ
હતું.
આ
શહેર
આજે
પણ
બાંધણીની
પરંપરાગત
ટેક્નિકોનું
એક
પ્રસિદ્ધ
કેન્દ્ર
છે.
માનવામાં
આવે
છે
કે
500
વર્ષથી
આ
શહેરને
આ
ટેક્નિકોમાં
મહારત
હાંસલ
કરેલી
છે.
તો
ચાલો
તસવીરો
થકી
જોઇએ
આ
શહેરને.
ઘૂપઘડી
જામનગરમાં આવેલું ધૂપઘડી
બરદા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય
જામનગરમાં આવેલું બરદા હિલ્સ વન્યજીવ અભ્યારણ્ય
રણમલ ઝીલ
જામનગગરમાં આવેલી રણમલ ઝીલ
રણમલ ઝીલ
જામનગગરમાં આવેલી રણમલ ઝીલ
વ્હોરા હજીરા
જામનગરમાં આવેલું વ્હોરા હજીરા
ખીજડા મંદિર
જામનગરમાં આવેલું ખીજડા મંદિર
જૈન મંદિર ટ્રિપલેટ
જામનગરમાં આવેલું જૈન મંદિર ટ્રિપલેટ
લાખોટા તળાવ
જામનગરમાં આવેલા લાખોટા તળાવનું સુંદર દ્રશ્ય
લાખોટા પેલેસ અને સંગ્રહાલય
જામનગરમાં આવેલું લાખોટા પેલેસ અને સંગ્રહાલય
લાખોટા પેલેસ અને સંગ્રહાલય
જામનગરમાં આવેલું લાખોટા પેલેસ અને સંગ્રહાલય