Exclusive : મોદી કયા બ્રહ્માસ્ત્ર વડે પાર કરશે ‘ધર્માંતરણ’ કસોટી?
દેશની સંસદ હાલ ધર્માંતરણ મુદ્દે હંગામેદાર બનેલી છે. લોકસભા અને રાજ્યસભા બંને જ ગૃહોમાં ધર્માંતરણના મુદ્દે ચર્ચા છેડાયેલી છે. પ્રત્યેક પક્ષનો સાંસદ પોતાનો અને પોતાના પક્ષનો અભિપ્રાય ગૃહમાં રજૂ કરી રહ્યો છે અને આ આખી ચર્ચાનો સાર શું નિકળ્યો? બસ ેક જ સાર નિકળ્યો અને તે એ કે આ મુદ્દે સરકાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે.
નરેન્દ્ર મોદીની છેલ્લા એક દાયકામાં બદલાયેલી છબીની આ પહેલી પરીક્ષા છે કે જ્યારે દેશમાં ધર્માંતરણનો મુદ્દો ઉગ્ર ચર્ચામાં આવી ચુક્યો છે. બસ, એટલે જ વિપક્ષની માંગણી સરકારનો અભિપ્રાય જાણવા માટેની નહીં, પણ વિપક્ષની મહેચ્છા નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત અભિપ્રાય જાણવાની છે કે આખરે મોદીએ છેલ્લા એક દાયકામાં કટ્ટર હિન્દુત્વવાદીમાંથી ઉતારવાદી હિન્દુત્વની જે પોતાની છબી ઉપસાવી છે, તેમાં કેટલી હકીકત છે.
ગુજરાતના મુખ્યમંત્રી રહેતા મોદી સામે ગોધરા કાંડ તથા તે પછીના રમખાણો અંગે બનેલી મુસ્લિમ વિરોધી છબી સુધારવામાં ઘણી મુશ્કેલીઓ આવી. વિશ્વ હિન્દૂ પરિષદ્ તથા તેના સહયોગી સંગઠનોએ મોદીને ગુજરાતમાં તેમના 12 વર્ષના શાસન દરમિયાન અનેક મુદ્દે ધર્મ સંકટમાં નાંખ્યાં. પછી તે પાટનગર ગાંધીનગર ખાતે દબાણ હટાવવાના નામે મંદિરો તોડવાનો વિરોધ હોય કે રમખાણોના આરોપમાં ફસાયેલા વિહિપ સાથે સંકળાયેલા આરોપીઓ કે અન્ય હિન્દૂ આરોપીઓને બચાવવાની બાબત હોય, પણ મોદી આવા તમામ મુદ્દાથી પોતાને પરે રાખી માત્ર અને માત્ર વિકાસની ધારા વહેડાવતા રહ્યાં અને મોદીના વિકાસના નારા આગળ તમામ કટ્ટરવાદી તાકતો પોતે જ નબળી પડતી ગઈ.
વડાપ્રધાન બન્યા બાદ મોદી સમક્ષ ભાજપ-સંઘની છબી જાળવી રાખતા સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે પોતાને સ્થાપિત કરવાનો સૌથી મોટો પડકારો ઊભો થયો છે. ચૂંટણી પહેલા સુધી તેમની સામે દરેક પ્રકારના આરોપો લાગ્યાં. આમ છતાં તેમના વિકાસના નારા આગળ તમામ આરોપો આધારહીન સાબિત થયાં અને દેશની પ્રજાએ તેમને સમ્પૂર્ણ બહુમતી આપી. ભલે તેમાં બહુમતી હિન્દુઓ અને ઘણા કટ્ટરવાદી હિન્દુઓનો પ્રચંડ ટેકો રહ્યો, પણ ક્યાંકને ક્યાંક લઘુમતી ખાસકર મુસ્લિમ મતદારોએ પણ મોદી ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના પક્ષમાં મતદાન કર્યું.
આવા તમામ પડકારોને પહોંચી વળવા માટે નરેન્દ્ર મોદી પાસે સૌથી મોટો બ્રહ્માસ્ત્ર શો છે? હા જી, નરેન્દ્ર મોદી પાસે સૌથી મોટો શસ્ત્ર છે અધ્યાત્મ. વડાપ્રધાન બન્યા બાદથી જ મોદીના મોઢે ભગવાન શ્રી કૃષ્ણથી માંડી ગૌતમ બુદ્ધ અને રામકૃષ્ણ પરમહંસથી લઈ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના નામો અનેક વખત સાંભળવા મળ્યાં અને મળતા પણ રહેશે. આ તમામ પૌરાણિક તેમજ ઐતિહાસિક મહાપુરુષો આધ્યાત્મિક ગુરુઓ હતાં તથા નરેન્દ્ર મોદીની અંદર પણ ક્યાંકને ક્યાંક એક આધ્યાત્મિક પુરુષ છુપાયેલો છે. આ એ જ મોદી છે કે જે ઈશ્વરની શોધમાં હિમાલય રહી ચુક્યાં છે. ભારતીય અધ્યાત્મ એક એવી વિધા છે કે જે માત્ર માનવ કલ્યાણની જ વાત કરે છે. તેમાં નથી હિન્દૂની વાત આવતી કે નથી કોઈ બીજા ધર્મની. મોદીએ જ્યારે ગુજરાતમાં વિકાસનો નારો આપ્યો, ત્યારે તેઓ સામાન્ય રીતે દલીલ આપતા હતાં કે જો કોઈ ગામમાં નર્મદા નદીનું પાણી આવશે, તો તે આખા ગામને મળશે. પછી તેમાં હિન્દૂને મળશે કે મુસ્લિમને મળશે, તે પ્રકારનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે. બસ, મોદીની આ જ વિચારસરણી તેમને ધર્માંતરણ સહિતના દરેક વિવાદાસ્પદ મુદ્દાઓને પહોંચી વળવાની શક્તિ આપશે. અને તેઓ ચોક્કસ તમામને પહોંચી પણ વળશે જ.
અમદાવાદ, 18 ડિસેમ્બર : શ્રુતિ હસને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને આઝ્મા ફિલ્મ માટે તેમણે જે ગીત રેકૉર્ડ કર્યુ હતું, તે ચાર્ટ-ટૉપર બન્યુ હતું.