Maha kumbh 2025 : પીરિયડ્સમાં મહિલા નાગા સાધુ કેવી રીતે કરે છે શાહી સ્નાન? જાણો શું હોય છે નિયમો?
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં લાખોની સંખ્યામાં નાગા સાધુઓ પહોંચે છે અને સંગમ પર ડુબકી લગાવી છે.
ભારતીય નાગા પરંપરામાં મહિલા નાગા સાધુ પણ જોવા મળે છે. મહિલા નાગા સાધુઓ માટે વિશેષ નિયમો હોય છે. મહિલાઓને પીરિયડ્સ આવતા હોવાથી તેમને ઘણા નિયમોનું પાલન કરવુ પડે છે.

મહિલા નાગા સાધુ બનવા કઠોર સાધના, બ્રહ્મચર્ય અને તપસ્યાનું પાલન કરવું પડે છે. દીક્ષા લેવા તેઓએ 10 થી 15 વર્ષ સુધી કડક શિસ્તનું પાલન કરવું પડે છે. નાગા સાધુ બનવા મહિલાઓ પોતાની દુન્યવી ઓળખનો ત્યાગ કરે છે અને આધ્યાત્મિક જીવનમાં સંપૂર્ણપણે પ્રવેશ કરે છે.
મહિલા નાગા સાધુઓ પુરુષ નાગા સાધુઓની જેમ નગ્ન નથી રહેતી. ભગવા રંગના સીવેલા વસ્ત્ર (ગંટી) પહેરે છે જે તેમની સાધના અને ભક્તિનું પ્રતીક છે.
માસિક દરમિયાન સ્નાન કરવાના નિયમો
ગંગાજળનો છંટકાવ
જ્યારે મહિલા નાગા સાધુઓને માસિક આવે છે ત્યારે તે ગંગા કે સંગમમાં સ્નાન કરવાને બદલે પોતાના પર ગંગાજળ છાંટતા હોય છે. આને પવિત્ર સ્નાન સમાન માનવામાં આવે છે.
ખાસ સ્નાન સ્થળ
માસિક દરમિયાન મહિલા નાગા સાધુઓ તેમના શિબિરમાં સ્નાન કરે છે. તેમના માટે એક અલગ માઈ બાડા બનાવવામાં આવે છે, જ્યાં તેઓ સંપૂર્ણ ગુપ્તતામાં તેમની ધાર્મિક અને શારીરિક સ્વચ્છતાનું ધ્યાન રાખે છે.
પૂજાથી દૂર રહે છે
આ સમયગાળા દરમિયાન તે કોઈપણ પૂજા કે ભગવાનને સ્પર્શ કરવાનું ટાળે છે. જો કે, તે ધ્યાન અને જપ દ્વારા પોતાની સાધના ચાલુ રાખે છે.
મહાકુંભમાં પુરુષ નાગા સાધુઓ સ્નાન કર્યા પછી મહિલા નાગા સાધુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેમની હાજરી અને આચરણ આ કાર્યક્રમમાં મહિલાઓના આધ્યાત્મિક યોગદાનનું પ્રતીક છે.
મહિલા નાગા સાધુઓનું જીવન બલિદાન, તપસ્યા અને શિસ્તનું પ્રતીક છે. માસિક જેવા કુદરતી ચક્ર દરમિયાન પણ તેઓ તેમની ધાર્મિક પરંપરાઓ અને નિયમોનું પાલન કરીને મહાકુંભમાં ભાગ લે છે.
ગંગાજળનો છંટકાવ અને ખાસ વ્યવસ્થા તેમને આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે. આ પરંપરા માત્ર આધ્યાત્મિકતાના ઊંડાણને પ્રતિબિંબિત કરવા સાથે મહિલા નાગા સાધુઓના અજોડ સમર્પણને પણ ઉજાગર કરે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
