રાજ્યસભાનું સાચું મોટાભાગના લોકો નથી જાણતા, જાણો કેમ એ નામનો ઉપયોગ નથી થતો?
લોકસભાની ચૂંટણી વિશે તો તમામ લોકો જાણે છે. જો કે જેટલુ મહત્વ લોકસભાનું છે તેટલુ જ મહત્વ રાજ્યસભાનું પણ છે.
ક્યારેય ભંગ ન નથી રાજ્યસભામાં 250 સાંસદો હોય છે. જો કે તેનું સાચુ નામ ઘણુ અલગ છે અને મોટાભાગના લોકો નથી જાણતા.

હાલમાં લોકસભામાં 543 સીટો છે. જેના પર દેશની જનતાએ 543 સાંસદોને ચૂંટીને લોકસભામાં મોકલ્યા છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી.
રાજ્યસભામાં 250 સભ્યો હોય છે. તેમાંથી 238 સભ્યો ચૂંટાય છે તો બાકીના 12 સભ્યો પ્રમુખ દ્વારા નામાંકિત કરવામાં આવે છે. ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્યોની સંખ્યા ત્યાંની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે.
રાજ્યસભાનો ઈતિહાસ 1919 થી છે. તે સમયે બ્રિટિશ ભારતમાં એક ઉચ્ચ ગૃહ બનાવવામાં આવ્યું હતું. પછી તેને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવ્યુ. આઝાદી પછી 3 એપ્રિલ 1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી.
આ પછી 23 ઓગસ્ટ 1954 ના રોજ તેનું નામ કાઉન્સિલ ઓફ સ્ટેટથી બદલીને રાજ્યસભા કરવામાં આવ્યું. જો કે સત્તાવાર રીતે તેને હજુ પણ ઉચ્ચ સદન કે ઉપરી ગૃહ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં લોકો તેને ક્યારેય આ કહેતા નથી. મોટાભાગના લોકો તેને રાજ્યસભાના નામથી જ જાણે છે.












Click it and Unblock the Notifications
