શિવાજીના જીવનના આ સવાલોનું રહસ્ય આજે પણ અકબંધ!
શિવાજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે, કહેવાય છે કે, આ તલવાર પર 10 હીરા જડેલા હતા. આ તલવાર હાલ લંડનમાં લંડનમાં છે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી 19 ફેબ્રુઆરીના રોજ વીર પુત્ર શિવાજીની જન્મજયંતિ ઉજવાય છે. છત્રપતિ શિવાજીની ગૌરવ ગાથા ઇતિહાસ ના અનેક પુસ્તકોમાં આલેખાઇ છે, આમ છતાં આજે પણ હજુ કેટલાક સવાલો એવા છે, જેના જવાબ આજે પણ સમાજના બુદ્ધિમાન વર્ગ અને ઇતિહાસકારો શોધી રહ્યાં છે.
એ કયા સવાલો છે, જેની પાછળનું રહસ્ય આજે પણ યથાવત છે, આવો જાણીએ..

શિવાજીની તલવાર આજે ક્યાં છે?
શિવાજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં તલવાર જોવા મળે છે, કહેવાય છે કે, આ તલવાર પર 10 હીરા જડેલા હતા, જે અત્યારે લંડનમાં છે. કહેવાય છે કે, આ તલવાર પ્રિંસ ઓફ વેલ્સ એડવર્ડ સપ્તમને નવેમ્બરમાં તેમની ભારત યાત્રા દરમિયાન મળી હતી. કોલ્હાપુરના મહારાજે તેમને ઉપહાર તરીકે આ તલવાર આપી હતી. એ પછી ક્યારેય આ તલવારને પાછી લાવવાનો પ્રયાસ નથી થયો.

શિવાજીનો જન્મ ક્યારે થયો હતો?
ઇતિહાસમાં શિવાજીનો જન્મદિવસ હજુ સુધી સ્પષ્ટ નથી. કહેવાય છે કે, તેમની જન્મતિથિ 6 જૂન 1674 છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે 19 ફેબ્રુઆરીનો દિવસ શિવાજીના જન્મદિવસ તરીકે ઉજવે છે. મહારાષ્ટ્ર સરકાર અનુસાર, શિવાજીનો જન્મ વર્ષ 1630માં 19 ફેબ્રુઆરીના રોજ થયો હતો.

શિવાજીના ઘોડાનું નામ શું હતું?
શિવાજીની છબી હોય કે મૂર્તિ, તેઓ હંમેશા એક ઘોડા પર સવાર થયેલા જોવા મળે છે. ઇતિહાસમાં પણ તેમના ઘોડાનું વર્ણન છે, પરંતુ તેમના ઘોડાના નામ અંગે ઘણા મતભેદો છે. કેટલાક કહે છે કે, તેમના ઘોડાનું નામ વિશ્વાસ હતું તો કેટલાક કહે છે કે તેમના ઘોડાનું નામ કૃષ્ણા હતું.

શિવાજીનું નિધન ક્યારે થયું હતું?
કહેવાય છે કે, ત્રણ સપ્તાહ બીમાર રહ્યાં બાદ વર્ષ 1680ના એપ્રિલ માસમાં શિવાજીનું નિધન થયું હતું. પરંતુ ઇતિહાસકારોમાં આ અંગે પણ ઘણા મતભેદો છે.

શિવાજીના નિધન બાદ તેમની પત્ની સાથે શું થયું?
શિવાજીની બે પત્નીઓ હતી, સોયરાબાઇ(મોહિતે) અને પુતલાબાઇ(પાલકર). કેહવાય છે કે, શિવાજીની બીજી પત્નીને તેમના નિધન બાદ જેલમાં કેદ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને ફાંસીની સજા કરવામાં આવી.

અહીં વાંચો
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
