સુખનો પ્રસંગ શોકમાં બદલાઇ ગયો - કોરોનામાં ભાઇ ગુમાવ્યો, હવે બહેન સાથે છે માત્ર યાદો
કોરોનાની બીજી લહેરમાં મોતના તાંડવને કારણે આ રક્ષાબંધનમાં ઘણાના ભાઇ બહેન નહીં હોય. ઘણા ઘરોમાં આજે ગમગીન માહોલ હશે. પોતાના ભાઈ કે, બહેનને ગુમાવનારા ઘણા લોકો માટે એક અસ્પષ્ટ બાબત છે.
કોરોનાની બીજી લહેરમાં મોતના તાંડવને કારણે આ રક્ષાબંધનમાં ઘણાના ભાઇ બહેન નહીં હોય. ઘણા ઘરોમાં આજે ગમગીન માહોલ હશે. પોતાના ભાઈ કે, બહેનને ગુમાવનારા ઘણા લોકો માટે એક અસ્પષ્ટ બાબત છે. દુઃખની લહેર વચ્ચે, ઘણાએ તેમના ભાઈબહેનોની ખાટી-મીઠી યાદોને સંભાળીને રાખવા અને તેમના હૃદયમાં જીવંત રાખવાનો સંકલ્પ કર્યો છે.
સાબરમતી નિવાસી રાધિકા ભાવસારે સરખેજમાં કારના પાર્ટ્સ અને રિપેરિંગમાં નિષ્ણાત અપસ્કેલ ગેરેજના માલિક ભાઈ મૌલિકને આ વર્ષે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. રાધિકા જણાવે છે કે, મારો ભાઇ કોઈ કાળે રક્ષાબંધનમાં મને મળવાનું ચૂકતો ન હતો. તેનું કામ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ ચાલે છે. જો હું સવારે તેને મળવા ન જઇ શકું, તો સાંજે મારા ઘરે આવીને રક્ષાબંધનની ઉજવણી કરતો હતો. 30 વર્ષમાં આ પહેલી એવી રક્ષાબંધન હશે કે, હું મૌલીકના હાથ પર રાખડી બાંધીશ નહીં. આજે હું તેની તસવીરની નજીક એક રાખડી મૂકીશ.
છૂટાછેડા લીધેલા મૌલિક પાસે તેની 10 વર્ષની પુત્રી માહીની કસ્ટડી હતી. મૌલિકની અકાળે વિદાય ભાવસાર પરિવારને સહન કરવી પડી હતી. આ ઉપરાંત રાધિકાની માતા મૌલિકના અવસાનના એક અઠવાડિયા પહેલા 31 માર્ચના રોજ મૃત્યુ પામી હતી. રાધિકાએ માહી કાયદેસર રીતે તેને દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
"મારા પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત હતા. માહીને સુરક્ષિત રાખવા માટે, અમે તેને મારા ઘરે લાવ્યા કારણ કે, અમારૂ ઘર સારા બાંધકામ વાળું હતું. મૌલિકના મૃત્યુ બાદ મેં નક્કી કર્યું હતું કે તે ક્યાંય નહીં જાય, "રાધિકા કહે છે. "છેવટે, હું તેનો સૌથી નજીકની સંબંધી છું. મારા પતિ અને સાસરિયાઓ સહિતનો મારો પરિવાર આ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયો અને દિલથી મારી ઇચ્છાને સમર્થન આપ્યું છે. તે મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. હું માત્ર મૌલિકની સ્મૃતિને જીવંત રાખું છું."
ડોક્ટર લીલી સેન એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે. જેમને તેમના ભાઈ નીલેશ્વર સેનને 15 એપ્રીલના રોજ મૃત્યુ પામ્યો હતો. તેના વિશે વાત કરતા લીલી સેન જણાવે છે કે, મારા નાના ભાઈ અને મેં ખૂબ જ પ્રેમ ભર્યો સમય વીતાવ્યો છે. અમારી વચ્ચે ઘણા ડિફરન્સિસ હોવા છતાં અમે ઘણા સમાન અને એટલા જ નજીક હતા. મેં તેની સાથે મારા જીવનની તમામ સુખદ ક્ષણો શેર કરી હતી. મને ખાતરી છે કે, મારો ભાઇ વધુ સારી જગ્યાએ હશે. તે મારી યાદોમાં હંમેશા મારી સાથે રહેશે.
ડોક્ટર લીલી કહે છે કે, તે અને તેનો ભાઈ ભાગ્યે જ અલગ રહેતા હતા. અમે ઉંડી આત્મીયતા ધરાવતા હતા. મારા ભાઈ સાથે મારી છેલ્લી વાતચીત હતી કે, 'તમને કંઈ થવાનું નથી. ઘરે આવો અને તમારા કૂતરાઓની સંભાળ રાખો, જે તમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. જેના બીજા દિવસે મારા ભાઇને કોરોના ભરખી ગયો. હું મારા ભાઇ પ્રત્યેના પ્રેમની શ્રદ્ધાંજલિ તરીકે પશુ આશ્રય સ્થાપવા માંગુ છું. આ વર્ષે 15 એપ્રિલના રોજ ડોક્ટર લીલીના ભાઈનું અવસાન થયું હતું અને ત્યારબાદ 15 મેના રોજ તેમની માતાનું નિધન થયું હતું. બંને કોરોના સંક્રમિત હતા.
ડોક્ટર લીલી કહે છે કે, નીલેશ્ર્વર રક્ષાબંધનને બહુ માનતો હતો અને મને તેની ખૂબ જ યાદ આવશે, તેની સાથે વીતાવેલા પ્રેમભર્યા દિવસો હંમેશા યાદગાર રહેશે.